દિલ્હીમાં મહિલાને બંધક બનાવીને ગુજાર્યો સામૂહિક બળાત્કાર
બીજી તરફ બે આરોપી હજુ સુધી ફરાર છે. કેસ દાખલ કરાવ્યા બાદ પીડિતાની મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી હતી. જેમાં પણ દુષ્કર્મની પુષ્ટિ થઇ છે. પીડિત મહિલા બિહારની રહેવાસી છે.
પોલીસ સૂત્રોના દ્વારા મળતી માહિતી અનુસાર પીડિત મહિલાની એક મહિના પહેલાં લગ્ન થયા હતા. મેરઠમાં કામ-ધંધો સારો ન હોવાથી તે મુજફ્ફરનગર આવી હતી કામકાજની શોધમાં લોની પહોંચી હતી. જ્યાં તેને ચાર લોકોએ બંનેને નોકરી અને રહેવાસી વ્યવસ્થાનો દિલાસો આપી ગોકુલપુરીના જોહરીપુરી વિસ્તારમાં લઇ આવ્યાં હતા. અહીં પતિ-પત્નીને એક મકાનમાં બંધક બનાવીને ત્રણ દિવસ સુધી ઇજ્જત લૂંટતા રહ્યાં હતા.
આ લોકોએ તેમને ધમકી આપી હતી કે જો શોરબકોર મચાવ્યો તો તેમને જાનથી મારી નાખશે. બુધવારે આરોપીઓએ બંનેને બિહાર પરત ફરવાની સલાહ આપી હતી. પરંતુ પીડિતા રિક્ષામાં બેસીને રડી રહી હતી તો રીક્ષાચાલકના પૂછતાં તેને પોતાની આપવીતી જણાવી હતી. રિક્ષા ડ્રાઇવરે રેલવે સ્ટેશને લઇ જવાના બદલે સીધા ગોકુલપુરી પોલીસમથકે લઇ ગયો હતો. જ્યાં પીડિતાએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી સંભળાવી હતી અને દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો.
બીજી તરફ આપ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ વિરૂદ્ધ નારેબાજી કરી પ્રદર્શન કર્યું હતું. પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કાર્યો હતો અને કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ બાકીના બે આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.