સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેરમાં ધરખમ ઘટાડો
રવિવારના રોજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોવિડ 19ની સારવાર હેઠળ 4 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં એક અને રાજકોટ ગ્રામ્યમાં 1 વ્યક્તિનું મોત થયું છે.
રાજકોટ : રવિવારના રોજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોવિડ 19ની સારવાર હેઠળ 4 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં એક અને રાજકોટ ગ્રામ્યમાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ભાવનગર શહેરમાં એક વ્યક્તિનું, ભાવનગર ગ્રામ્યમાં 1 વ્યક્તિનું મોત થયું છે.

રાજકોટમાં શુક્રવારના રોજ નવા પોઝિટિવ કેસની સંખ્યા 99 છે. શનિવારના રોજ 251 દર્દીઓને રજા આપવામાં આવ્યા છે. જામનગર શહેરમાં રવિવારના રોજ 26 કેસ નોંધાયા હતા. જ્યારે ભાવનગર જિલ્લામાં 38 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા.
ગુજરાતમાં 3897 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા, કુલ 12 લાખ પર પહોંચ્યા હતા. અમદાવાદ શહેરમાંથી 6, વડોદરા શહેરમાંથી 4, સુરત શહેરમાં 1 અને સુરત ગ્રામ્યમાં 2 મોત સહિત કુલ 18 દર્દીઓના મોત થયા હતા.
આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10667 થયો છે. રાજ્યમાં કુલ 11,44,956 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. હાલ રાજ્યમાં કુલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 44,618 છે.












Click it and Unblock the Notifications
