જાણો રાજકોટ સહિત દેશ અને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ જિલ્લામાં શનિવારના રોજ 587 નવા કોવિડ કેસ નોંધાયા છે, જેમાંથી 438 રાજકોટ શહેરના રહેવાસી અને કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિત છે. હાલ રાજકોટ શહેરમાં કુલ 2,245 લોકો સારવાર હેઠળ છે.
રાજકોટ જિલ્લામાં શનિવારના રોજ 587 નવા કોવિડ કેસ નોંધાયા છે, જેમાંથી 438 રાજકોટ શહેરના રહેવાસી અને કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિત છે. હાલ રાજકોટ શહેરમાં કુલ 2,245 લોકો સારવાર હેઠળ છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં શનિવારના રોજ કોવિડથી મૃત્યુ નોંધાયું હતું. રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં 295 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે જામનગર જિલ્લામાં 161 નવા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના અપડેટ
દેશમાં કોરોનાના વધતા કેસ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાંદેશમાં કોરોનાના 2,71,202 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 2,369 વધુ કેસ છે, જ્યારે 314 લોકોના મોત થયા છે. જો કે, 1,38,331 લોકો કોરોનાનેમાત આપીને ઘરે પરત ફર્યા છે.

દેશમાં કુલ રિકવરી 3,50,85,721
હાલ દેશમાં 15,50,377 સક્રિય કેસ છે, જ્યારે દેશનો સકારાત્મકતા દર વધીને 16.28 ટકા થઈ ગયો છે. બીજી તરફ દેશમાં ઓમિક્રોનના 7,743 કેસ નોંધાયા છે, ત્યારેરસીકરણની કુલ સંખ્યા 1,56,76,15,454 પર પહોંચ્યુ છે.
દેશમાં કુલ રિકવરી 3,50,85,721 થઈ ગઈ છે, જ્યારે કોવિડના કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,86,066લોકોના મોત થયા છે.

રાજ્યમાં કોરોના અપડેટ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,150 નવા કેસ નોંધાયા છે.રાજ્યમાં 6096 દર્દીઓસાજા થયાછે. કોરોનાથી 8 મોત થયા છે. જેમાં અમદાવાદમાં 2,વડોદરામાં 1, ભાવનગરમાં 2, તાપીમાં 1 અને રાજકોટમાં 2 મોત નોંધાયા છે.
આ સાથેશહેરોમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 3264,સુરતમાં 2464,રાજકોટમાં 378,વડોદરામાં 1151 નોંધાયા છે.
હાલ રાજ્યમાં એક્ટીવ કેસ 63,610 છે. કોરોના વેક્સિનના 1.38 લાખ ડોઝ અપાયાછે. તો અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 9.47 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે.












Click it and Unblock the Notifications
