રાજકોટ: જીયાણા ગામના નારાજ ભક્તે મંદિરમાં લગાવી આગ, આરોપી પૂર્વ સરપંચની ધરપકડ
Rajkot: સામાન્ય રીતે, મુશ્કેલીના સમયે, વ્યક્તિ ભગવાન તરફ વળે છે, અને પ્રાર્થના કરે છે. જોકે, જ્યારે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થતું નથી, ત્યારે નિરાશાનો જન્મ થાય છે. આવી નિરાશાને કારણે ઝિયાણા ગામમાં એક વિચિત્ર ઘટના બની છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ઝિયાણા ગામના પૂર્વ સરપંચ ( માજી સરપંચ), ભગવાનથી નારાજ થઈને ત્રણ મંદિરોમાં આગ લગાવી હતી. જેમાં રામદેવપીર અને મેલડી માતાના મંદિરમાં પૂર્વ સરપંચે આગ ચાંપી હતી.
એરપોર્ટ પોલીસમાં નોંધાયેલી એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર, 13 મેના રોજ સવારે 1 થી 9 કલાકની વચ્ચે અજાણ્યા વ્યક્તિએ ગામના રામદેવ પીર મંદિરમાં ટાયરનો ઉપયોગ કરીને આગ લગાડી હતી, જેના કારણે રામદેવપીરની મૂર્તિને નુકસાન થયું હતું.

આ ઉપરાંત મંદિર પરિસરમાંથી મળેલા લાકડાની મદદથી મેલડી માતાના મંદિરને પણ આગ ચાંપવામાં આવી હતી. ત્યારપછી જ્યારે વાસંગી દાદાના મંદિરને બહારથી તાળું મારેલું જોવા મળ્યું, ત્યારે બહારથી કપડાં ફેંકીને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં ગામમાં અસામાજિક તત્વો દ્વારા મંદિરો સળગાવવામાં આવ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી. જોકે, તપાસ કરતાં માજી સરપંચ અરવિંદ સરવૈયા આગની ઘટના માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું.
આ સાથે એવું જાણવા મળ્યું છે કે, તેમણે પ્રાર્થના કરવા છતાં ધાર્યું પરિણામ ન મળતા હતાશ થઇ જવાના કારણે તેણે મંદિરોમાં આગ લગાવી હતી. એરપોર્ટ પોલીસે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી છે, અને આ કેસની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
