Rajkot: રાજકોટમાં ઘરમાં લટકતી હાલતમાં મળ્યો નર્સનો મૃતદેહ
Rajkot: રાજકોટ શહેરની હદમાં આવેલા શાપર-વેરાવળ ખાતે ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ રવિવારના રોજ તેના રહેણાંક એપાર્ટમેન્ટમાં લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસને આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા છે.
મૃતકની ઓળખ કાજલ કોટડિયા (26) તરીકે થઈ છે, જે મવડીની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતી હતી અને તેના માતાપિતા સાથે રહેતી હતી.

આ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે પડોશીઓએ કોટડિયાના એપાર્ટમેન્ટમાંથી નીકળતી દુર્ગંધની નોંધ લીધી અને તેના માતાપિતાને ચેતવણી આપી, જેઓ ગીર સોમનાથ જિલ્લામાં પરિવારના વતન વડાલા ગામમાં ગયા હતા.
શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટર આર કે ગોહિલે સોમવારના રોજ જણાવ્યું હતું કે, તેના માતા-પિતા દિવાળીની ઉજવણી કરવા પરિવારના વતન ગામમાં ગયા હતા. પાડોશીઓ દ્વારા જાણ કરવામાં આવતા તેઓ શાપર-વેરાવળ પરત ફર્યા હતા. જ્યારે માતા-પિતાએ દરવાજો ખોલ્યો, ત્યારે તેઓએ તેણીને છત પર લટકતી જોઈ હતી.
અધિકારીએ ઉમેર્યું હતું કે, ફોરેન્સિક નિષ્ણાતોએ તારણ કાઢ્યું હતું કે, કોટડિયાનું મૃત્યુ ત્રણ દિવસ પહેલાં થયું હતું અને તેણી ફાંસી પર લટકતી મળી આવી હતી અને અભિપ્રાય આપ્યો હતો કે, મૃત્યુનું પ્રાથમિક કારણ ફાંસી હતું.
કોટડિયાના પિતા ભીખુભાઈ કોટડિયાએ આપેલી માહિતીના આધારે શાપર-વેરાવળ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ સુસાઈડ નોટ મળી નથી. અમે તેણીએ આત્યંતિક પગલું ભરવાના કારણોની તપાસ કરી રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
