Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rajkot Fire : રાજકોટના ગેમિંગ ઝોનમાં ભીષણ આગ, 22 લોકોના મોત

રાજકોટના ગેમિંગ ઝોનમાં ભાગના અહેવાલ છે. આ આગ કેટલી ભયાનક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘટનામાં 22 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

સમાચારો અનુસાર, રાજકોટમાં ગેમિંગ ઝોનમાં સાંજે અચાનક લાગેલી ભીષણ આગ લાગી ગઈ. હાલ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Rajkot Fire

ANIએ ફાયર ઓફિસર IV ખેરને ટાંકીને કહ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. અમને ગુમ થયેલા લોકો વિશે કોઈ મેસેજ નથી. કામચલાઉ માળખું તૂટી પડવાથી અને પવનના વેગને કારણે અગ્નિશામક કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે, TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી. બચાવ કાર્ય ચાલુ છે અને આગ કાબૂમાં છે. અમે શક્ય તેટલા મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ગેમિંગ ઝોન યુવરાજસિંહ સોલંકી નામની વ્યક્તિની માલિકીનો છે. જે મૃત્યુ થયા છે તેમાં બેદરકારી બદલ કેસ દાખલ કરીશું, અમે અહીં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યા પછી વધુ તપાસ થશે.

બીજી તરફ આગને પગલે સરાકર એક્શનમાં આવી છે અને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાજ્યના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ જારી કર્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X