Rajkot Fire : રાજકોટના ગેમિંગ ઝોનમાં ભીષણ આગ, 22 લોકોના મોત
રાજકોટના ગેમિંગ ઝોનમાં ભાગના અહેવાલ છે. આ આગ કેટલી ભયાનક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘટનામાં 22 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
સમાચારો અનુસાર, રાજકોટમાં ગેમિંગ ઝોનમાં સાંજે અચાનક લાગેલી ભીષણ આગ લાગી ગઈ. હાલ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ANIએ ફાયર ઓફિસર IV ખેરને ટાંકીને કહ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. અમને ગુમ થયેલા લોકો વિશે કોઈ મેસેજ નથી. કામચલાઉ માળખું તૂટી પડવાથી અને પવનના વેગને કારણે અગ્નિશામક કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે, TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી. બચાવ કાર્ય ચાલુ છે અને આગ કાબૂમાં છે. અમે શક્ય તેટલા મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ગેમિંગ ઝોન યુવરાજસિંહ સોલંકી નામની વ્યક્તિની માલિકીનો છે. જે મૃત્યુ થયા છે તેમાં બેદરકારી બદલ કેસ દાખલ કરીશું, અમે અહીં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યા પછી વધુ તપાસ થશે.
#WATCH Rajkot, Gujarat: On fire incident at TRP game zone, Fire Station Officer RA Joban says, " We cannot say anything about the exact number... We are bringing down bodies from both sides... The search operation is underway..." pic.twitter.com/SRdFAzlfCn
— ANI (@ANI) May 25, 2024
બીજી તરફ આગને પગલે સરાકર એક્શનમાં આવી છે અને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાજ્યના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ જારી કર્યા છે.












Click it and Unblock the Notifications
