સુરતમાં માનવતા મહેકી, સિવિલ હોસ્પિટલમાં 53મું સફળ અંગદાન
organ donation at Civil Hospital in Surat: મકર સંક્રાંતિના શુભ અવસર પર દાનનું આગવું મહત્વ છે. ઉત્તરાયણ નિમિત્તે લોકો તલ, ખિચડી, ગોળ, ઘાસ, ધાબળા વગેરેનું દાન કરીને લોકો પૂણ્ય પ્રાપ્ત કરે છે. આ પાવન પર્વ પર કરવામાં આવેલા દાન વિશેષ ફળ અને આશીર્વાદ આપે છે.
મૂળ ઝારખંડના વતની અને સુરતમાં રહેતા ગોસ્વામી પરિવારે બ્રેઈન ડેડ થયેલા સંબંધીના લીવર, બે કિડની અને હૃદયનું દાન કરીને અંગદાનનો મહિમા વધુ ઉજાગર કર્યો છે. આ અંગદાન સાથે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક સફળ અંગદાન થયું છે, જેના પરિણામે ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના ભેસ્તાન મેટ્રો કોલોનીમાં રહેતો 38 વર્ષીય બ્રેઈન ડેડ મહેશ ગોસ્વામી 7 જાન્યુઆરીના રોજ ફેક્ટરીમાં પડ્યો હતો. કંપનીના તબીબ દ્વારા પ્રાથમિક સારવાર બાદ તેમણે વધુ સારવાર માટે 108 ઈમરજન્સીનો સંપર્ક કર્યો હતો, અને 8 જાન્યુઆરીની સાંજે તેમને નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં દાખલ કરી આઈસીયુમાં ટ્રાન્સફર કરાયા હતા. 12 જાન્યુઆરીની સાંજે ડૉ. લક્ષ્મણ, ડૉ. હરીન મોદી, ડૉ. નિલેશ કાછડીયા અને ડૉ. પરેશ ઝાંઝમેરાએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
ડૉ. લક્ષ્મણ, ડૉ. નિલેશ કાછડીયા, ગુજરાત નર્સીંગ કાઉન્સીલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડેએ ગોસ્વામી પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. બ્રેઈન ડેડ ગોસ્વામી પરિવારે દુઃખના સમયમાં પણ અંગોનું દાન કરવાની તૈયારી દર્શાવી હતી. તેથી અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની સુનિતા કુમારી, પુત્ર સોના અને પુત્ર આયુષ ગોસ્વામી છે. તે મૂળ ઝારખંડના આમલો હોલ્ટ, કરગલી બર્મો, શિવ મંદિર પાસે, બોકારોનો છે.
નવી સિવિલના મેડિકલ અધિક્ષક ડૉ. ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ મેડિકલ અને નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયાના તબીબોની ટીમ, સિક્યુરિટી સ્ટાફ, સેનિટેશન વર્કર્સ અને જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં પ્રયાસો કર્યા હતા. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોને પરિણામે આજે વધુ એક અંગ દાન સાથે 53મું સફળ અંગદાન થયું છે.
સૌથી વંચિતોને અન્યથા પ્રતિબંધિત ખર્ચાળ જીવન-બચાવ ટ્રાન્સપ્લાન્ટ સેવાઓની સુલભતા સાથે નબળા વર્ગને પ્રાધાન્ય આપવાની જોગવાઈઓ સાથે સુનિશ્ચિત કરવા માટે કેડેવરિક ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત મજબૂત ઇકોસિસ્ટમ દ્વારા જાહેર ક્ષેત્રમાં અગ્રણી છે, SOTTO ગુજરાત તેના મુખ્ય સ્થાને છે. સમાજ એટલે કે મહિલાઓ અને બાળકો.
સંવેદનશીલતા અને સમાવેશી અભિગમ: સાર્વજનિક
ફાઇનાન્સીંગ મિકેનિઝમ્સ અને પોલિસી વાતાવરણને સક્ષમ બનાવવાથી ટ્રાન્સપ્લાન્ટ સેવાઓની પોષણક્ષમતા સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે, જે ગરીબો માટે લગભગ મફત છે; PMJAY-MA માં પ્રત્યારોપણ, RBSK-સ્કૂલ હેલ્થ હેઠળ બાળકો માટે મફત ટ્રાન્સપ્લાન્ટ, CSR સપોર્ટ અને પરોપકારી દાન અને દર્દીઓને ચૂકવણી કરવા માટે ખાનગી ક્ષેત્રના એક તૃતીયાંશ ખર્ચ જેવી પહેલો દ્વારા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
