સુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલીયાના પુતળાનું દહન, ધાર્મિક લાગણી દુભાયાનો મામલો
ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેને લઈને હજી પણ મામલો થાડે પડતો દેખાતો નથી. તેને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક
ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેને લઈને હજી પણ મામલો થાડે પડતો દેખાતો નથી. તેને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.
Recommended Video

સુરત : ગોડાદરામાં AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના પૂતળાનું દહન કરાયું

સુરત પોલીસે બજરંગ સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બજરંગ સેનાના 10 વધુ કાર્યકર્તાઓને અટકાયતમાં લેવામાંમ આવ્યાં હતાં. ગોપાલ ઇટાલીયાએ તાજેતરમાં જ આ મામલો વધુ ન વણશે તેને લઈને પોતાના નિવેદનને લઈને માફી પણ માંગી હતી. જોકે હજી પણ આ મામલો શાંત થાય તેવું દેખાઈ રહ્યું નથી.












Click it and Unblock the Notifications
