કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થશે? આજે થશે નિર્ણય
Lok sabha Election 2024: લોકસભા ચૂંટણીના કારણે રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી. જેમાં સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ઉમેદવારી નોંધાવી હતી.
હાલ ચર્ચા ચાલી રહી છે કે, તેઓનું ઉમેદવારી ફોર્મ રદ્દ થઇ જશે. જોકે, નિલેશ કુંભાણી અને કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ્દ નહીં કરવામાં આવ્યું, પરંતું કોઇ સમસ્યા છે. ભાજપ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, મારા સમર્થકોનું અપહરણ કરવામાં આવ્યું છે, જે અંગે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ રિટર્નિંગ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થકો લાયક નથી. નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં ટેકેદારોએ કરેલી સહીઓ નકલી છે. આ અંગે રિટર્નિંગ ઓફિસરે નિલેશ કુંભાણી પાસે ખુલાસો માંગ્યો છે.

નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ભાજપે મારા સમર્થકોનું અપહરણ કર્યું છે. સમર્થકોના ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યા છે. રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરુભાઈનો સંપર્ક થઈ શક્યો નથી, તેમની સહીઓ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થકોએ તેમની સહી ન હોવાની ફરિયાદ કરી હતી.
નિલેશ કુંભાણીએ પોતાના વકીલો ઝમીર શેખ, બાબુભાઈ માંગુકિયા અને અજયકુમાર ગોંડલિયાની નિમણૂક કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારના વકીલની નિમણૂક સ્વીકારી હતી.
નિલેશ કુંભાણીના ફોર્મ સંદર્ભે વકીલ ઝમીર શેખે સુરત લોકસભા ચૂંટણી અધિકારીને જણાવ્યું હતું કે, અમારા અસીલના સમર્થકોને તમારી સમક્ષ બોલાવીને પૂછપરછ કરવામાં આવે. નામાંકન પર હસ્તાક્ષર કરનારા સમર્થકોનો સંપર્ક કરવામાં આવતો નથી, તેથી તમારા દ્વારા તેમનું અપહરણ થવાની સંભાવના છે, પોલીસે તરત જ સમર્થકોને શોધી કાઢવી જોઈએ અને હસ્તાક્ષર નિષ્ણાત પાસે સહીઓ તપાસવી જોઈએ. તેથી, અમને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ અને ચૂંટણી અધિકારીની હેન્ડબુકની જોગવાઈઓ હેઠળ કાનૂની સલાહ અને બચાવ માટે 24 કલાકનો સમય મળવો જોઈએ.
કોંગ્રેસના ઉમેદવાર અને વકીલ ઝમીર શેખની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે આજે 21 એપ્રિલે સવારે 9 કલાકે સુનાવણી નક્કી કરી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ્દ થયું હોવાની અફવા છે. રવિવારના રોજ સુનાવણી બાદ સવારે 11 કલાકે કુંભાણીના ફોર્મ અંગે નિર્ણય લેવામાં આવશે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
