ઉમરગામમાં 10.51 કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કરાયું!
ટ્રાયબલ એરિયા સબ પ્લાન યોજના હેઠળ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરીનું ખાતમૂર્હુત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉમરગામના સુંદરવન ખાતે કરવામાં આવ્યું હતું.
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ટ્રાયબલ એરિયા સબ પ્લાન યોજના હેઠળ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરીનું ખાતમૂર્હુત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉમરગામના સુંદરવન ખાતે કરવામાં આવ્યું હતું. ઉમરગામમાં 10.51 કરોડના ખર્ચે 66 કેવી ઉમરગામ સબ સ્ટેશનમાંથી નીકળતા 3 ફીડરોની 24.99 કિમી ઓવરહેડ એચટી લાઈનોનું 33.59 કિમી અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરાશે.

નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કાર્યક્રમમાં જણાવ્યું કે, ડીજીવીસીએલ એ દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. સમગ્ર ગુજરાતમાં 24 કલાક વીજળી મળી રહી છે. સોલાર રૂફટોપમાં પણ ગુજરાત નંબર વન છે, જેના થકી 2000 મેગા વોટ વીજળી મળતા સંકટ દૂર થયું છે. વધુમાં મંત્રી કનુ દેસાઇએ સૌને આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવા માટે આહવાન કર્યુ હતુ.
ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોમાં વિકાસ માટે સરકાર દ્વારા દર બજેટમાં રકમમાં ઉત્તરોત્તર ઉમેરો કરવામાં આવી રહ્યો છે. પહેલા વીજળીની સમસ્યા રહેતી હતી પરંતુ હવે અંડર ગ્રાઉન્ડ કેબલ થવાથી વીજળીની સમસ્યા રહેશે નહીં, વીજળી 24 કલાક મળતી થતા હવે ઉમરગામના સમુદ્ર કાંઠે પર્યટકોની સંખ્યા પણ વધી છે. અંડર ગ્રાઉન્ડ લાઈનના કારણે રહેણાંકથી માંડીને ઉદ્યોગો અને ખેતીવાડીને પણ ફાયદો થશે.












Click it and Unblock the Notifications
