સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ત્રણના મોત, જાણો કારણ
સુરતમાં એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યા છે. શહેરના એક પરિવારે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતના સરથાનામાં વિજયનગર પાસે રહેવાને કારણે ભાવનગરના શિહોરના નિવાસી વિનુભાઇ ખોડભાઇ મોરડિયાએ પોતાની પત્ની શારદાબેને પોતાના બાળકો સાથે ઝેર ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં માત અને પુત્ર-પુત્રીનું મોત થયું છે.
આ પરિવારના તમામ સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માતા, પુત્ર અને પુત્રીના મોત થયા છે, જ્યારે પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ વિનુભાઈ રત્નકલાકારનું કામ કરતા હતા. તેમણે આ પગલું કેમ ભર્યું, તે હજુ સ્પષ્ટ થયું નથી. બીજી તરફ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર મચી ગઈ છે. પરિવારે આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હોવાનું હવે સામે આવી રહ્યું છે.
પરિવારે શા માટે આ આત્યંતિક પગલું ભર્યું તે અંગેનું કોઇ કારણ સામે આવ્યું નથી. પરિવારના સગા પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, સીમાડા કેનાલ પાસે કેનાલ પાસે પરિવાર બેભાન હાલતમાં પડ્યો હતો. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેમની ભાભી, ભત્રિજી અને ભત્રિજાનું મોત થયું છે. આ પરિવાર છેલ્લા 5 થી 6 વર્ષથી સુરતમાં રહે છે.
આ ઘટનાની માહિતી આપતા SP પીકે પટેલે જણાવ્યું હતું કે, સરથાણામાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિનુભાઈએ તેમના પિતરાઈ ભાઈને ફોન કરીને મારા પુત્ર અને પુત્રીને બચાવી લેજે, તેમ કહીને ફોન કટ કરી દીધો હતો.
જે બાદ તેઓએ સ્થળ પર જઇ તપાસ કરતાં વિનુભાઇ, પત્ની શારદાબેન, ક્રિશ વિનુભાઇ મોરડીયા અને સેનીતા મોરડીયા સહિત ચારેય પરિવારના સભ્યો દવા પી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા, જેથી તેઓને તાત્કાલિક 108 મારફતે દવાખાને લઇ જવાયા હતા.












Click it and Unblock the Notifications
