Surat: આ રીતે થઇ વેપારી સાથે 25 લાખની છેતરપિંડી, જાણો અને સુરક્ષિત રહો
Fraud, Surat: સલાબતપુરા વિસ્તારમાં કાપડના વેપારી સાથે 25 લાખની છેતરપિંડી થઈ છે. સુરત પોલીસે તેના કર્મચારી સહિત 12 લોકો સામે ગુનો નોંધ્યો છે.
આ કેસની મળતી વિગતો મુજબ, નિર્મલ જાલાન (60) સલાબતપુરામાં RKT માર્કેટમાં શ્રી અંબિકા મિલ્સ ધરાવે છે. તે રંગીન કાપડનો વેપાર કરે છે. જાલાનની તબિયત ખરાબ હોવાથી તેણે બ્રોકર બાલકિશન ડાગાને એવી વ્યક્તિ શોધવા જણાવ્યું હતું કે, જે તેની ઓફિસની જવાબદારી લઈ શકે.

ડાગાએ તેમને તેમના પુત્ર ચંદેશ ડાગાનો સંદર્ભ આપ્યો. તદનુસાર, ચંદ્રેશને જાલાન દ્વારા આ વર્ષે 1 માર્ચથી દર મહિને 18,000 રૂપિયાના પગાર પર નોકરી પર રાખવામાં આવ્યો હતો.
ચંદ્રેશ વેપારીઓને માલ વેચવા લાગ્યો હતો. જાલાન, જે ડાયાબિટીસનો દર્દી હતો, તે બપોરે જ ઓફિસે આવતો. ચંદ્રેશ જાલાનને કહેતો હતો કે, તેણે જેમને સામાન મોકલ્યો છે, તે લોકોને સમયસર પૈસા ચૂકવશે.
જોકે, વેપારીઓ કિશન ચાંડક, ઓમજી હરકુટ (કુલદેવી ક્રિએશન); ભાવેશ ડોલર, વિક્રમ (અમર ફેશન); ગણેશરામ (અમરનાથ ડિઝાઇન); લલિતકુમાર ચોરાડિયા, રામનિવાસ (જૈન ટ્રેડર્સ); વિમલ રાઠી (મહાદેવ ટ્રેડિંગ); નેપાળ જન (ST સર્જન); જુદી જુદી પેઢીના રોશન અદ્રેશ્ના, મુકેશ બારોટ (શ્યામ ફેશન)એ સમયસર ચુકવણી કરી ન હતી.
બધાએ મળીને 7 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન જાલાનની ફર્મ પાસેથી રૂપિયા 24.44 લાખનો સામાન ખરીદ્યો હતો. તેઓએ ચુકવણી ન કરી હોવાથી, જાલાને શુક્રવારના રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 408, 120B અને 34 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.












Click it and Unblock the Notifications
