સુરતમાં અણીતા ગામમાં અંધશ્રદ્ધા મુદ્દે પાડોશીઓમાં બબાલ, એકનું મોત!

ઓલપાડ તાલુકાના અણીતા ગામમાં અંધશ્રદ્ધાના બહાને પડોશમાં રહેતી એક મહિલાને ઢોર માર મારવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યારા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત : ઓલપાડ તાલુકાના અણીતા ગામમાં અંધશ્રદ્ધાના બહાને પડોશમાં રહેતી એક મહિલાને ઢોર માર મારવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યારા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Surat

આ કેસની પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડ તાલુકાના અણીતા ગામના નિશાળ ફળિયામાં રહેતા પંકજ ઉર્ફે પકો રામુભાઈ રાઠોડે પશુ-પક્ષીઓ માટે ઘરની છત પર ઘઉંના દાણા મુકતો હતો. પાડોશમાં રહેતા રેવાબેન સુકાભાઈ રાઠોડે જ્યારે ધાબા પર આ જોયુ ત્યારે તેણીએ તેને અંધશ્રદ્ધા સાથે જોડ્યો હતો. રેવાબેને પંકજને ભૂત-પ્રેત જેવી વાતો કહી મેલીવિદ્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ પછી રેવાબેન ગામમાંથી પસાર થતા સ્ટેટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પંકજ રાઠોડે હાથમાં ધારદાર છરી લઈને રેવાબેનને મોઢા, ગળા અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.

આ દરમિયાન પંકજે બચાવ કરવા આવેલા લક્ષ્મીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેસની માહિતી મળતાં પોલીસને જાણ થતાં કીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પંકજ ઉર્ફે પકો રામુભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. જરૂરી કાર્યવાહી હાથ ધરી પોલીસે મૃતકના પીએમ સહિત મૃતકના પતિ સુકા મેલજીભાઈ રાઠોડની ફરિયાદ પરથી APCO કલમ 302,506(2) હેઠળ ગુનો નોંધ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X