સુરતના ભેસ્તાનમાં જ્વેલરી શોપ ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ!
સુરતની ભેસ્તાન ચોકડી પર આવેલ વિક્ષી કીર્તિકુમાર શાહ જ્વેલર્સમાં રોકડ સહિત 16.05 લાખની ચોરીના કેસમાં પાંડેસરા પોલીસે ટ્રાન્સફર વોરંટ દ્વારા ભિવંડીના એક યુવકની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે.
સુરત : સુરતની ભેસ્તાન ચોકડી પર આવેલ વિક્ષી કીર્તિકુમાર શાહ જ્વેલર્સમાં રોકડ સહિત 16.05 લાખની ચોરીના કેસમાં પાંડેસરા પોલીસે ટ્રાન્સફર વોરંટ દ્વારા ભિવંડીના એક યુવકની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ભિવંડીનો રહેવાસી રેહાન ઉર્ફે દાનિશ ખાન 14 ડિસેમ્બરે જ્વેલરીની દુકાનમાં થયેલી ચોરીમાં સામેલ હતો.

ચોરીના માસ્ટર માઇન્ડ પાટિયાના રહેવાસી શેરુએ તેનો અન્ય બે સાગરિતો ઇમ્તિયાઝ અને આતિક મારફત સંપર્ક કર્યો હતો અને તેને ભિવંડીથી સુરત બોલાવ્યો હતો. ત્રણેય કારમાં ભિવંડીથી સુરત આવ્યા હતા. ત્યારબાદ ઘટનાસ્થળથી થોડે દૂર કારને અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ શેરુ ત્રણેયને મોટરસાઇકલ પર એક પછી એક સ્થળ નજીક છોડી ગયો હતો. ત્યારબાદ ત્રણેય જણાએ દુકાનમાં હાથ સાફ કર્યા હતા.
ત્યાર બાદ ફરીથી શેરુએ તેને એક પછી એક કાર પાસે ઉતારી દીધા અને તેઓ કારમાં નાસી ગયા. અન્ય એક કેસમાં જ્યારે રેહાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો ત્યારે પૂછપરછ દરમિયાન તેણે સુરતમાં થયેલી ચોરીનો ઘટસ્ફોટ કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આ અંગેની માહિતી મળતાં પાંડેસરા પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. માસ્ટર માઈન્ડ શેરુ, ઈમ્તિયાઝ અને અતીક ફરાર છે. પોલીસ તેના વિશે પૂછપરછ કરી રહી છે.












Click it and Unblock the Notifications
