સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનું શંકાસ્પદ મોત
સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનું શંકાસ્પદ મોત
સુરતના રત્નકલાકાર સંઘના પ્રમુખ યસુખ ગજેરાએ તેપીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે. આજે સવારે તાપી નદીમાંથી તેમનો દેહાંત મળતાં રત્નકલાકારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જો કે આપઘાત છે કે કોઈએ તેમની હત્યા કરી મૃતદેહને નદીમાં ફેંકી દીધો તે થિયરી હજી સ્પષ્ટ નથી થઈ. આ મામલે રત્નકલાકારો સુરત પોલીસ રેન્જ આઈજીને આવેદન પત્ર આપી આ મામલે તપાસ કરવાની માંગ કરી રહી છે.
જયરાજ ગજેરાએ આર્થિક સંકડામણમાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રત્નકલાકારોએ આ મામલે તપાસ હાથ ધરવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે જયરાજ ગજેરાને કોઈએ આપઘાત કરવા માટે મજબૂર કર્યા હોય શકે છે. ત્યારે આ મામલે તપાસ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં મોટા ભાગના નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના આરે પહોંચી ગયા છે. જેને કારણે કેટલાય લોકોએ આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગો અને ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોથી લઈ સામાન્ય મજૂર વર્ગ સુધીના તમામ લોકોની રોજી રોટી પર અસર પડી છે.
કોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહ