Vande bharat navsari stop : 23મી ઓગસ્ટથી નવસારી રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ
Vande bharat navsari stop : રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નવસારી સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપ આપવાની મંજૂરી આપી છે.
લોકોની સતત માંગ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 23 ઓગસ્ટ વંદે ભારત નવસારી ઉભી રહેશે.

આ નવા ફેરફાર મુજબ, 23 ઓગસ્ટથી ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20902) સાંજે 5:27 કલાકે નવસારી પહોંચશે અને 5:29 કલાકે ઉપડશે.
આ ઉપરાંત 24 ઓગસ્ટથી મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર કેપિટલ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901) સવારે 8:43 કલાકે નવસારી પહોંચશે અને 8:45 કલાકે ત્યાંથી ઉપડશે.
નવસારીમાં આ સ્ટોપ દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે કનેક્ટિવિટી વધારશે. નવસારીના સાંસદ સી.આર. પાટીલે લગભગ 15 દિવસ પહેલા જ આ ટ્રેન નવસારી સ્ટેશન પર ઊભી રહેશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ રેલવે મંત્રાલયે આને સત્તાવાર મંજૂરી આપી છે.
નવસારી હવે ગુજરાતનું 20મું શહેર બન્યું છે જ્યાં વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ છે, જે મુસાફરો માટે એક મોટી સુવિધા છે.












Click it and Unblock the Notifications
