નર્મદા ડેમમાં 95 હજાર ક્યૂસેક પાણીની આવક, 25000 ક્યૂસેક છોડવામાં આવ્યું
નર્મદા ડેમમાં 95 હજાર ક્યૂસેક પાણીની આવક, 25000 ક્યૂસેક છોડવામાં આવ્યું
વડોદરાઃ બુધવારે સરદાર સરોવર ડેમમાંથી 25,980 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યા બાદ ઑથોરિટી દ્વારા નર્મદા નદીની આજુબાજુમાં આવેલા તમામ ગામડાને ચેતવણી આપી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે જો ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે તો તેવી સ્થિતિમાં આ ગામડાઓને અલર્ટ પર રાખવામાં આવશે.

સરદાર સરોવર નિગમ લિમિટેડ (SSNL) ઑથોરિટીએ જણાવ્યા મુજબ ડેમમા 93594 જેટલા પાણીની આવક થતાં છેલ્લા 24 કલાકમાં જ પાણીની સપાટી 3.5 મીટર ઉપર જતી રહી હતી. અત્યારે સરદાર સરોવર ડેમમમાં પાણીની સપાટી 130 મીટર છે. ડેમમાંથી નદી અને મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આ વખતે ધોધમાર પડેલા વરસાદે ફરી ખેડૂતોની મૂંઝવણ વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદે માઝા મૂકી, જ્યાં છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલો વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને હજી પણ આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી છે.












Click it and Unblock the Notifications
