ગુજરાતના દાહોદમાં મોડી રાતે પાટા પરથી ખડી પડી માલગાડી, રેલ માર્ગ પ્રભાવિત
ગુજરાતમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે.
વડોદરાઃ ગુજરાતમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલવે સ્ટેશન પર માલગાડી પાટા પરથી ખડી પડી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના રાત્રે લગભગ 1 વાગ્યે સામે આવી હતી. આ દુર્ઘટનામાં માલગાડીના ઘણા ડબ્બા ક્ષતિગ્રસ્ત થયા છે. રેલવે ટ્રેક પરથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે આ રૂટ પરની અનેક ટ્રેનોને અસર થઈ છે. જો કે આ દુર્ઘટનાને કારણે કયા પ્રકારનુ નુકસાન થયુ છે તે હજુ સુધી જાણી શકાયુ નથી.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ દાહોદના મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ઘણી જગ્યાએ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. જેના કારણે રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દીધા છે. પશ્ચિમ રેલવેના ડીઆરએમ- મુંબઈ સેન્ટ્રલે એક ટ્વિટમાં જણાવ્યુ છે કે રતલામ ડિવિઝનમાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ઘણી ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે. રેલવેએ મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. મુંબઈ રેલવેના ડીઆરએમએ ટ્વિટર પર એવી ટ્રેનોના નંબર પણ આપ્યા છે કે જેનો રૂટ બદલાયો છે.
Due to derailment of goods train in Ratlam division, several trains will run on the diverted route. Inconvenience caused is regretted.
— DRM - Mumbai Central, WR (@drmbct) July 17, 2022
Tain no. are following :
UP direction train
1. 12228
2. 12910
3. 12952
4. 12954
5. 22902
6. 12926
7. 22195
DN Direction train
1. 20941
2. 19019