કોરોના કાળમાં પણ નથી અટક્યા સરકારના વિકાસ કાર્યો, આપ્યા 11 હજાર કરોડના પ્રોજેક્ટઃ રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે કોરોના મહામારીના ભયાનક દોરમાં પણ અમારી સરકારના કાર્યો વિલંબ વિના ચાલતા રહ્યા.
વડોદરાઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે કોરોના મહામારીના ભયાનક દોરમાં પણ અમારી સરકારના કાર્યો વિલંબ વિના ચાલતા રહ્યા. છેલ્લા છ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં 11 હજાર કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવ્યુ. રૂપાણીએ આ વાતો વડોદરાના મહાનગર પાલિકાના 232 કરોડ રૂપિયાના વિકાર કાર્યોના ઈ-લોકાર્પણ તેમજ શિલાન્યાસ વખતે કહી.

મુખ્યમંત્રીએ કહ્યુ કે કોરોના સામે લડવા સાથે સાથે ગુજરાતાં વિકાસ કાર્યો પણ અવિરત ચાલુ રહ્યા. વડાદરામાં જ 450 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો કરવામાં આવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલ ઈ-સંજીવની ઓપીડી સેવા રાજ્યમાં શરૂ કરાવી હતી. તેનો આરંભ કરીને રૂપાણીએ કહ્યુ હતુ કે દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓનો બોજ હળવો કરીને ઘરે બેઠા ઈલાજ સુવિધા માટે આ ઈ-સંજીવની ઓપીડી ખૂબ જ લાભદાયી સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી દેશના વિવિધ રાજ્યોમાં ઈ-સંજીવની ઓપીડી કાર્યરત કરવામાં આવી છે. જે હેઠળ ગુજરાતમાં પણ આ સેવા આપવામાં આવી રહી છે. વળી, વડોદરામાં મહાનગરપાલિકા માટે વિકાસ કાર્યોનુ ઈ-લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરતી વખતે ઑનલાઈન કાર્યક્રમમાં રૂપાણી સાથે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર હતા. તેમણે કોંગ્રેસની પૂર્વ સરકારોને આડેહાથ લીધી.












Click it and Unblock the Notifications
