વડોદરાઃ GCMMF ના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી થશે
વડોદરાઃ GCMMF ના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી થશે
વડોદરાઃ ગુરુવારે દેશની સૌથી મોટી કો ઓપરેટિવ- ધી ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફાઉન્ડેશન (GCMMF)ના મુખ્યાની ચૂંટણી થશે. અમુલના ચેરમેન રામસિંહ પરમાર અને વાઇસ-ચેરમેન જેઠા ભરવાડની અઢી વર્ષની ટર્મ બાદ આજે ફરી અમુલના ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણી થવા જઇ રહી છે. જણાવી દઇએ કે પરમાર અને જેઠા ભરવાડનો કાર્યકાળ પૂર્ણ થઇ ચૂક્યો હોવાથી આ ચૂંટણી થવા જઇ રહી છે.

જણાવવું જરૂરી છે કે GCMMF અલગ જ પ્રકારની ચૂંટણી પ્રક્રિયાને અનુસરે છે. સૈદ્ધાંતિક રીતે ગુજરાતના દરેક મિલ્ક યૂનિયનના મુખ્યા કે જેઓ GCMMFના યૂનિયનના સભ્ય હોય છે તેઓ પોતાના ચેરમેનને ચૂંટે છે. ગુજરાતના કુલ 18 મિલ્ક યૂનિયનો ફેડરેશનના સભ્યો છે. રસપ્રદ વાત એ છે કે ચૂંટણીની પરિસ્થિતિમાં જે-તે ડેરીઓએ નાણાકીય વર્ષમાં સંઘ સાથે કેવો વ્યવહાર કરે છે તેના આધારે મતગણતરી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દશકામાં ગુજરાતના મુખ્ય મિલ્ક યુનિયનોમાં ભાજપે વર્ચ્યુઅલ કંટ્રોલ મેળવી લીધો છે. જેથી ભાજપ મોવડી મંડળ શુ નિર્ણય લેશે તેના પર ડેરી સેક્ટરની નજર છે. રામસિંહ પરમાર ભાજપમાં જોડાયાના એક વર્ષ બાદ એટલે કે જાન્યુઆરી 2018માં સર્વસમંતિથી GCMMFના ચેરમેન બની ગયા હતા. તમામ 18 મિલ્ક યૂનિયનોમાં રામસિંહ પરમાર સૌથી વરિષ્ઠ હતા પણ છતાં તેઓ ક્યારેય ફેડરેશનના ચેરમેન તરીકે નહોતા ચૂંટાયા, ત્યારે તેમણે કોંગ્રેસનો સાથ છોડી ભગવો ધારણ કર્યાના એક વર્ષમાં જ અમુલના ચેરમેન પદે ચૂંટાયા.
2018ની જેમ બનાસ ડેરીના ચેરમેન અને રાજ્ય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પૂર્વ મંત્રી શંકર ચૌધરી કથિત રીતે ચેરમેન પદ માટે સૌથી આગળ ચાલી રહ્યા છે. પરંતુ પરમારને જ ફરી હોદ્દો આપવો કે પછી તેમની જગ્યાએ ચૌધરીને ચૂંટવા કે કોઇ નવો ચહેરો લાવવો તે કો-ઓપરેટિવ લીડર્સ અને પાર્ટી મોવડી મંડળ પર આધારિત છે. જો કે શેહરાથી ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ GCMMFના વાઇસ ચેરમેન તરીકે પોતાનો બીજો કાર્યકાળ ચાલુ રાખશે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
