Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોનાનો કહેરઃ વડોદરાના ત્રણ ગામમાં અસ્થાયી સ્મશાન ઘાટ બનાવ્યા

કોરોનાનો કહેરઃ વડોદરાના ત્રણ ગામમાં અસ્થાયી સ્મશાન ઘાટ બનાવ્યા

ભારતમાં કોરોનાવાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ્ં છે, બીજી લહેર બાદ હજી ત્રીજી લહેર નાગરિકોને પરેશાન કરે તેવા પણ અણસાર છે. જો કે બીજી લહેરમાં જ મૃત્યુઆંક વધુ હોવાના લીધે તંત્ર પણ ચિંતિત છે. હાલ કોરોનાવાયરસ ગામડાંઓમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે. ગુજરાતના કેટલાય ગામોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કલ્યાણપુર તાલુકાના દેવળિયા, ભાવનગરના ચોગઠ ગામ સહિતના ગામડાઓએ કોરોનાનું આકરું સ્વરૂપ જોયું છે.

coronavirus

હવે ગુજરાતના વડોદરા જિલ્લામાં પ્રશાસને કોવિડ દર્દીના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ખુલ્લા મેદાનને સ્મશાન ઘાટમાં પરિવર્તિત કરવાનો ફેસલો લીધો છે. જિલ્લા પ્રશાસન અધિકારી કિરણ જાવેરીએ જાણકારી આપતા જણાવ્યું કે કોટલી, અંખોલી અને પિપરિયા ગામમાં અસ્થાયી સ્મશાન ઘાટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જણાવ્યું કે પિપરિયા ગામમાં બનેલ અસ્થાયી સ્મશાન ઘાટ પર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને એમ્બ્યુલન્સ સાથે આવતા પરિજનોના પ્રવેશ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. એક દિવસમાં પિપરિયામાં પાંચ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે જ્યારે કોટલી અને અંખોલીમાં દરરોજ સરેરાશ ત્રણ દેહના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે.

સૌથી વધુ કપરી હાલત ભાવનગરમાં આવેલા ચોગઠ ગામની છે. જ્યાં ઘરે-ઘરે ઓછામા ઓછા એક વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાના અહેવાલ મળ્યા છે અને માત્ર 20 જ દિવસમાં આ ગામના 90 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X