Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vadodara : PM મોદી અને PM પેડ્રો સાંચેઝના રોડ શૉ રૂટ પર બંને તરફ ૨૦૦ મિટર સુધી નો પાર્કીંગ ઝોન

Vadodara : વડોદરામાં બનેલા ટાટા એરફ્રાક્ટ સ્ટેશનના ઉદ્ધાંટન સમારોહમાં 28મી તારીખે PM નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાત લેવાના છે.

નરેન્દ્ર મોદી સાથે સ્પેનના PM સાંચેઝ રોડ શૉ કરવાના છે ત્યારે આ રોડ શૉને ધ્યાને રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Vadodara

પીએમ મોદીની મુલાકાત દરમિયાન કોઈ અડચણ ઉભી ન થાય તે માટે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે નો પાર્કિંગ અને વૈકલ્પિક પાર્કિગ વ્યવસ્થા સાથેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

સ્થાનિક સુરક્ષા ટીમ સાથે રૂટનું નિરિક્ષણ કરવામાં આવ્યું છે. આવતીકાલથી સમગ્ર રૂટ પર હાઈસિક્યુરિટી લાગુ કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી અને PM સાંચેઝ જે રૂટ પર રોડ શૉ કરવાના છે તે રોડ પર રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 15 સાંસ્કૃતિક મંચ પર 200 જેટલા લોકો ભારતીય પારંપરિક નૃત્ય કરવાના છે.

PM નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પેડ્રો સાચેજ 27 ઓક્ટોરના રોજ વડોદરા આવી પહોંચશે. વડોદરા આવ્યા બાદ બંને મહાનુભાવો વડોદરામાં આવેલી ITC વેલકમ હોટેલ, અલકાપુર તથા સાંઈદિપનગરમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશન તથા લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેવાના છે. ત્યારે બંને મહાનુભાવોની મુલાકાત દરમિયાન આખા શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળશે.

વડોદરા એરપોર્ટ પર ઉતર્યા બાદ એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ ઉપર, એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી નીચે ઉતરી ડાબી બાજુ વળી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ અલકાપુરી આવી પહોંચશે.

ત્યારબાદ ITC વેલકમ હોટલથી નીકળી જી.ઇ.બી સર્કલથી અટલ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ બ્રિજ ઉપર, એરપોર્ટ સર્કલથી નટવરનગર ત્રણ રસ્તા (ન્યુ વી.આઇ.પી રોડ) સાંઇદીપનગર ત્રણ રસ્તાથી સાંઇ દિપનગર, ટાટા એરક્રાફ્ટ સ્ટેશન, સાંઇદીપ નગર એરક્રાફ્ટ સ્ટેશનથી નીકળી, એરપોર્ટ સર્કલથી સીધા અમિતનગર બ્રિજ ઉપર એવ એન્ડ ટી સર્કલ, એમ.ઇ સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે જૂનાવુડા સર્કલ, ફતેગંજ સર્કલથી, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ, જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા રેલવે હેડ ક્વાર્ટર ત્રણ રસ્તાથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી સીધા રાજમહેલ મેઇનગેટ ત્રણ રસ્તા, લક્ષ્મી વિલાસ પેલેસ ગેટથી પ્રવેશ કરી લક્ષ્મીવિલાસ પેલેસ આવશે.

લક્ષ્મી વિલાસ પેલેસથી નીકળી રાજમહેલ ગેટ મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા રેલ્વે હેડ ક્વૉટરથી જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા બરોડા ઓટો મોબાઇલ કાલાઘોડા સર્કલ, નરહરિ સર્કલ ફતેગંજ સર્કલથી પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ આવશે. ત્યારબાદ ITC વેલકમ હોટલથી હરણી એરપોર્ટ જશે.

આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચાર- રીતે ચાવે તે હેતુથી નો-પાર્કિંગ અને નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું સુરક્ષા માટે બહાર પાડવાની જરૂર છે.

આથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર 27ઓક્ટોબર સવારના 22થી રાત્રે કલાક 3 તથા 28 ઓક્ટોબર સવારના 6 વાગ્યાથી કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત તમામ રુટ પર બંની બાજુમાં 200 મીટર સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X