Vadodara accident case : વડોદરા કાર અકસ્માત મુદ્દે જ્હાનવી કપૂરે ગુસ્સો વ્યક્ત કર્યો, જાણો શું કહ્યું?
Vadodara accident case : વડોદરામાં થયેલા ભયંકર કાર અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આ ઘટના વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ દુર્ઘટનામાં 20 વર્ષના રક્ષિત ચૌરસિયાએ ઓવર સ્પીડમાં કાર ચલાવતા પાંચ લોકોને ટક્કર મારી હતી, જેમાં એક મહિલાનું દૂખદ મોત થયું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ તુરંત રક્ષિતને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટનાને લઈને હવે બોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે.
જ્હાનવી કપૂરે આ નરાધમ ઘટના સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. માહિતી અનુસાર, આરોપી રક્ષિત નશાની હાલતમાં 120 કિમી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તે કાર તેના મિત્રની હતી.
વધારે ઝડપ અને બેદરકારીના કારણે તેણે નિર્દોષ લોકોને ટક્કર મારી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી કે આરોપીના મિત્રો તેને અટકાવવાને બદલે વધુ એક રાઉન્ડ મારવાનું પ્રોત્સાહન આપી રહ્યા હતા.
જ્હાનવી કપૂરે આ વાયરલ વીડિયો જોતા જ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર આ ઘટના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તેણીએ આ ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવતાં જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ આઘાતજનક અને ગુસ્સો અપાવનારી છે. એવું વિચારવું પણ ગંદું લાગે છે કે કોઈ આવી ગંદી કરતૂત કરીને છટકી શકે. નશામાં હોવા કે ન હોવા તેનાથી કોઈ ફરક પડતો નથી, આવા ગુનામાં કડકમાં કડક પગલાં ભરવા જોઈએ.
આ ઘટનાએ ફરી એકવાર નશામાં ગતિશીલ વાહન ચલાવવાના ખતરા પર પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે. હવે જોવું એ રહ્યું કે, પોલીસ અને કાયદા વ્યવસ્થાની સંસ્થાઓ આ મામલે કેટલા ગંભીર પગલાં ભરે છે.












Click it and Unblock the Notifications
