Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vadodara Rain : હવે વડોદરા પર પૂરનું સંકટ, આજવા સરોવરમાં પાણી પાછી છોડાતા વિશ્વામિત્રી બે કાંઠે

Vadodara Rain : વડોદરા શહેર પર ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. શહેરના મુખ્ય જળસ્ત્રોત સમા આજવા સરોવરમાં પાણીની ભારે આવક થતાં સરોવરની સપાટી 213.16 ફૂટ પર પહોંચી છે.

સંભવિત પૂરની પરિસ્થિતિને ટાળવા માટે સત્તાવાળાઓ દ્વારા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી વડોદરા માટે આફત સર્જી શકે છે.

Vadodara Rain

આજવા સરોવરમાંથી પાણી છોડવાના કારણે વડોદરાની જીવાદોરી ગણાતી વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે 17 ફૂટ પર પહોંચી ગઈ છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં પૂરનો ભય ઊભો થયો છે.

શહેરના વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે વડોદરા શહેરની તમામ શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. વડોદરાનું તંત્ર પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે એલર્ટ પર છે.

આ ઉપરાંત હવામાન વિભાગે પણ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. શહેરીજનોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, હાલ ગુજરાતની ઘણી મોટી નદીઓમાં પૂરની પરિસ્થિતી છે. એક તરફ નર્મદા નદી ઉફાન પર છે તો સાબરમતિ નદી પણ બે કાંઠે વહી રહી છે. આ સિવાય મહીસાગર પણ કિનારાની બહાર નીકળી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X