વિવાદોમાં ફસાઇ મોદી સાથેની અમેરિકન ડેલિગેશનની મુલાકાત
શિકાગો, 29 માર્ચઃ યુએસ ડેલીગેશનનું એક સમૂહ હાલ ગુજરાતમાં છે અને રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી રહ્યું છે. જેને લઇને એક નવો વિવાદ ચગ્યો છે. મીડિયામાં વહેતા થયેલા અહેવાલો અનુસાર આ સ્પોન્સર ટૂર ગોઠવવા માટે આયોજકે પૈસા લીધા હોવાનું બહાર આવ્યું છે અને તેમાં પ્રતિ વ્યક્તિ 3 હજારથી 16 હજાર ડોલર રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી. મોડી રાત્રે મળતી માહિતી પ્રમાણે અમેરિકન ડેલિગેશને આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે ટૂર ગોઠવવા માટે નાણા લીધા હોવાની વાત પાયાવિહોણી છે.
આ વ્યાપારિક પ્રતિનિધિમંડળમાં અમેરિકન પ્રતિનિધ સભામાં ચાર સભ્યો સામેલ છે. અને આ તમામ રિપબ્લિકન પાર્ટીથી આવેલા છે. શિકાગોના સમાચાર પત્ર હાઇ ઇન્ડિયામાં છપાયેલા એક અહેવાલ અનુસાર, આયોજકોએ ભારતીય મૂળના અમેરિકન સમુદાયના આ પ્રવાસ અંગે પ્રચાર કર્યો હતો.
આ પ્રવાસમાં એક રાજનીતિક કાર્યવાહી સમિતિ(પીએસી), નેશનલ ઇન્ડિયન અમેરિકન પબ્લિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ(એનઆઇએપીપીઆઇ) દ્વારા આયોજિત છે. જેની સ્થાપના શિકાગોએ કારોબારી શલભ કુમારે કરી છે. પ્રતિનિધિમંડળના નેતૃત્વકર્તા રાજનીતિજ્ઞોમાં મર્લિન સ્ટેટમેન, સિંટિયા વીડર્સપેન, કૈથી રોજર્સ અને એરોન સ્કોક પણ સામેલ છે.
એનઆઇએપીપીઇ દ્વારા આ યાત્રાની તૈયારીના સિલસિલામાં વેચવામાં આવેલા એક નિમંત્રણ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ અમેરિકન કારોબારીઓના એક સંભ્રાંત સમૂહ માટે સીમિત છે. આ સમૂહ અમદાવાદમાં નરેન્દ્ર મોદીને મળી ચૂક્યા છે અને તેમણે અમેરિકા આવવાનું નિમંત્રણ પણ આપી ચૂક્યા છે.
આ વ્યાપક યાત્રા કાર્યક્રમમાં ઉદેપુરમાં લેક પેલેસમાં રોકાણ, રાજ્ય સરકાર દ્વારા અતિથિ રીતે કર્ણાટકનો પ્રવાસ, તાજ મહેલની મુલાકાત, રણથંભોર વાઘ અભ્યારણ્યનો પ્રવાસ, જયપુરના રામબાગ પેલેસમાં એક રાતનો પ્રવાસ, અમૃતસરનું સુવર્ણ મંદિરની મુલાકાત અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ દ્વારા આયોજિત રાત્રી ભોજનમાં હાજરી, સાથે જ એક બોલિવુડ એક્સ્ટ્રા વેંગેજા પણ સામેલ છે.

નોંધનીય છે કે આ પહેલા વ્હોર્ટનમાં સંબોધનને લઇને પણ એક વિવાદ ચગ્યો હતો અને હજુ એ શાંત જ પડ્યો છે, ત્યાં આ એક નવો વિવાદ ચગ્યો છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
