Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પેશાવરમાં નમાજ દરમિયાન મસ્જિદમાં વિસ્ફોટ થતા 30 ના મોત, 50 ઘાયલ

પાકિસ્તાનના પેશાવરમાં એક મોટો અકસ્માત થયો છે અને શુક્રવારની નમાજ દરમિયાન ઈમામ બારગાહ (મસ્જિદ)ની અંદર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

પેશાવર : પાકિસ્તાનના પેશાવરમાં એક મોટો અકસ્માત થયો છે અને શુક્રવારની નમાજ દરમિયાન ઈમામ બારગાહ (મસ્જિદ)ની અંદર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

blast

પોલીસના જણાવ્યા અનુસાર આ એક આત્મઘાતી હુમલો

પેશાવરના સીસીપીઓના જણાવ્યા અનુસાર, કોચા રિસાલદાર સ્થિત ઈમામબાદ ખાતે પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું છે કે, પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે, હુમલાખોરોએ બે પોલીસ રક્ષકોને ગોળી મારી હતી અને ટૂંક સમયમાં જ વિસ્ફોટકો સાથે પરિસરમાં પ્રવેશ કર્યો હતો. તે કદાચ ઇમામબારામાં આત્મઘાતી હુમલો હતો.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ઘટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને તબીબી સહાય આપવામાં આવી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઘણા બજારો છે અને તે સામાન્ય રીતે શુક્રવારની નમાજ દરમિયાન ભરેલા હોય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X