બાંગ્લાદેશ PMની અપીલ છતાં પણ ચાંદપુરના હિંદુ મંદિર પર હુમલો, પોલિસ અને ભીડની ઝડપમાં 5ના મોત
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે જ હિંદુઓ પર થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી હતી. છતાં હુમલા થઈ રહ્યા છે.
ઢાકાઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે જ હિંદુઓ પર થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી હતી. સાથે જ તેમણે ગૃહમંત્રીના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા પરંતુ શેખ હસીનાના આ નિર્દેશ બાદ જ બાંગ્લાદેશના ચાંદપુરમાં એક હિંદુ મંદિર પર ભીડે હુમલો કરી દીધો. ચાંદપુરના હાજીગંજ વિસ્તારમાં સ્થિત લક્ષ્મી નારાયણ અખરા મંદિરમાં ભીડે હુમલો કરી દીધો. આ દરમિયાન પોલિસે હુમલાખોરો વચ્ચે ઝડપની ઘટનાઓ પણ જોવા મળી. આ હિંસામાં 5 લોકોના માર્યા ગયાના સમાચાર છે.

દુર્ગા પૂજા સમારંભના દિવસે પણ અહીં થઈ હતી હિંસા
હાજીગંજ પોલિસ સ્ટેશનના પ્રભારી મોહમ્મદ હારુનૂર રાશિદે જણાવ્યુ છે કે હિંસામાં ઘાયલ એક વ્યક્તિને આપણે સારા ઈલાજ માટે કોમિલા મેડિકલ હૉસ્પિટલમાંથી ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ(ડીએમસએચ)માં શિફ્ટ કરવામાં આવ્યા પરંતુ ત્યાં તેનુ મોત થઈ ગયુ. ઘણા મીડિયા રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ છે કે ચાંદપુરના હાજીગંજ ઉપજિલ્લામાં દુર્ગા પૂજા સમારંભ દરમિયાન સાંપ્રદાયિક હિંસામાં અમુક લોકો માર્યા ગયા હતા જ્યારે પત્રકાર, પોલિસ અને સામાન્ય લોકો સહિત 60 અન્ય ઘાયલ થઈ ગયા હતા.
અત્યાર સુધી બાંગ્લાદેશના આ વિસ્તારોમાં થઈ છે હિંસા
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર નાનુઆર દિઘી તટ પર સ્થિત દુર્ગા પૂજા સ્થળે કથિત રીતે કુરાનના અપમાન બાદ આ હિંસા ભડકી ઉઠી હતી. અત્યાર સુધી બાંગ્લાદેશના ચાંદપુર, ચટગાંવ, ગાજીપુર, બંદરબન, ચપેનવાબગંજ અને મૌલવીબાજારના ઘણા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી ચૂકી છે.
શેખ હસીનાએ શું કહ્યુ હતુ?
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં થયેલી આ ઘટનાઓને લઈને પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે ગૃહમંત્રી અસદુજ્જમાં ખાનને નિર્દેશ આપીને કહ્યુ કે વિશેષ ધર્મ પર હુમલો કરવા અને હિંસાને ભડકાવનારા સામે તત્કાલ કાર્યવાહી શરૂ કરવામાં આવે. સાથે જ સામાન્ય લોકોને પણ એ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર તથ્યોની તપાસ વિના કોઈ પણ વસ્તુ પર ભરોસો ન કરો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
