બાંગ્લાદેશ PMની અપીલ છતાં પણ ચાંદપુરના હિંદુ મંદિર પર હુમલો, પોલિસ અને ભીડની ઝડપમાં 5ના મોત
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે જ હિંદુઓ પર થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી હતી. છતાં હુમલા થઈ રહ્યા છે.
ઢાકાઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે જ હિંદુઓ પર થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી હતી. સાથે જ તેમણે ગૃહમંત્રીના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા પરંતુ શેખ હસીનાના આ નિર્દેશ બાદ જ બાંગ્લાદેશના ચાંદપુરમાં એક હિંદુ મંદિર પર ભીડે હુમલો કરી દીધો. ચાંદપુરના હાજીગંજ વિસ્તારમાં સ્થિત લક્ષ્મી નારાયણ અખરા મંદિરમાં ભીડે હુમલો કરી દીધો. આ દરમિયાન પોલિસે હુમલાખોરો વચ્ચે ઝડપની ઘટનાઓ પણ જોવા મળી. આ હિંસામાં 5 લોકોના માર્યા ગયાના સમાચાર છે.

દુર્ગા પૂજા સમારંભના દિવસે પણ અહીં થઈ હતી હિંસા
હાજીગંજ પોલિસ સ્ટેશનના પ્રભારી મોહમ્મદ હારુનૂર રાશિદે જણાવ્યુ છે કે હિંસામાં ઘાયલ એક વ્યક્તિને આપણે સારા ઈલાજ માટે કોમિલા મેડિકલ હૉસ્પિટલમાંથી ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ(ડીએમસએચ)માં શિફ્ટ કરવામાં આવ્યા પરંતુ ત્યાં તેનુ મોત થઈ ગયુ. ઘણા મીડિયા રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ છે કે ચાંદપુરના હાજીગંજ ઉપજિલ્લામાં દુર્ગા પૂજા સમારંભ દરમિયાન સાંપ્રદાયિક હિંસામાં અમુક લોકો માર્યા ગયા હતા જ્યારે પત્રકાર, પોલિસ અને સામાન્ય લોકો સહિત 60 અન્ય ઘાયલ થઈ ગયા હતા.
અત્યાર સુધી બાંગ્લાદેશના આ વિસ્તારોમાં થઈ છે હિંસા
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર નાનુઆર દિઘી તટ પર સ્થિત દુર્ગા પૂજા સ્થળે કથિત રીતે કુરાનના અપમાન બાદ આ હિંસા ભડકી ઉઠી હતી. અત્યાર સુધી બાંગ્લાદેશના ચાંદપુર, ચટગાંવ, ગાજીપુર, બંદરબન, ચપેનવાબગંજ અને મૌલવીબાજારના ઘણા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી ચૂકી છે.
શેખ હસીનાએ શું કહ્યુ હતુ?
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં થયેલી આ ઘટનાઓને લઈને પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે ગૃહમંત્રી અસદુજ્જમાં ખાનને નિર્દેશ આપીને કહ્યુ કે વિશેષ ધર્મ પર હુમલો કરવા અને હિંસાને ભડકાવનારા સામે તત્કાલ કાર્યવાહી શરૂ કરવામાં આવે. સાથે જ સામાન્ય લોકોને પણ એ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર તથ્યોની તપાસ વિના કોઈ પણ વસ્તુ પર ભરોસો ન કરો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
