લીબિયામાં અપહરણ કરાયેલ 7 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા
લીબિયામાં 7 ભારતીય નાગરિકોનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ જેમને હવે મુક્ત કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ લીબિયામાં 7 ભારતીય નાગરિકોનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ જેમને હવે મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ બધા ભારતીય નાગરિકોનુ થોડા દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદથી ભારતીય દૂતાવાસ આ લોકોને મુક્ત કરાવવાની સતત કોશશ કરી રહ્યુ હતુ અને છેવટે આજે તેમને મુક્ત કરાવી લેવાયા છે. બધા 7 ભારતીયોના મુક્ત થવાની માહિતી ટ્યનીશિયામાં ભારતના રાજદૂતે રવિવારે આપી. આ બધા સાત ભારતીય આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેમને 14 સપ્ટેમ્બરે કિડનેપ કરી લેવામાં આવ્યો હતો.

ટ્યુનીશિયામાં ભારતીય રાજદૂત પુનીત રૉય કુંડળ બધા 7 અપહ્રત ભારતીયોના મુક્ત થવાની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે લીબિયામાં દૂતાવાસ નથી પરંતુ ટ્યુનીશિયામાં ભારતીય મિશન લીબિયામાં રહેતા ભારતીયોની દેખરેખ કરે છે. ગુરુવારે ભારતે આ અંગે પુષ્ટિ કરી હતી કે સાત ભારતીય નાગરિકનુ ગયા સપ્તાહે અપહરણ કરવામાં આવ્યુ હતુ, અમે તેમને મુક્ત કરાવવાની કોશિશ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે બધા અપહ્રત કરાયેલ ભારતીયો સુરક્ષિત છે અને ટ્યુનીશિયામાં ભારતીય મિશન લીબિયા સરકારના સંપર્કમાં છે અને બધા લોકોને મુક્ત કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
