Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

80 ટકા લોકો તેમની જોબથી કંટાળી ગયા હોય છે

jobs
લંડન, 8 ઓગસ્ટ : એક સર્વેક્ષણ પરથી માલૂમ પડ્યું છે કે દર 10માંથી 8 વ્યક્તિ તેમની નોકરીઓથી કંટાળી ગયા હોય છે, પણ એને છોડી દેતા ગભરાતા હોય છે. તેમને ડર હોય છે કે નોકરી છોડવાથી જતાં હાલત વધારે ખરાબ થશે.

વીડિયો લર્નિંગ વેબસાઈટ લર્નક્લિકી ડોટ કોમના સર્વેમાં સામેલ કરાયેલા દર 10માંથી લગભગ સાત જણે કબૂલ કર્યું છે કે તેઓ પૈસાને ખાતર હાલની કારકિર્દીમાં આવ્યા છે, પણ એમને આ નોકરી કરવી ગમતી નથી. અડધા ભાગના લોકોએ કહ્યું કે તેમનામાં નોકરીના કામકાજ ઉપરાંત અન્ય કાબેલિયત અને કેટલાક શોખ છે, જેનો તેઓ ઉપયોગ કરવા માગે છે.

સર્વેમાં 63 ટકા નોકરિયાતો તેમની હાલની કારકિર્દીથી એટલા બધા ડિપ્રેસ્ડ થયા હતા કે તેમને એમની કરતાં વધારે સારું કામકાજ કરતા અને સારી આવક મેળવતા પરિવારજનો કે મિત્રોની અદેખાઈ પણ થતી હતી.

સર્વેક્ષણમાં 66 ટકા લોકોએ કબૂલ કર્યું કે પગારની દ્રષ્ટિએ તેઓ હાલની નોકરીમાં ફસાઈ ગયા હોવાની, અસહાય થઈ ગયા હોવાની લાગણી અનુભવે છે, પણ પોતાની આવક પર એમના પરિવારજનો એટલા બધા નિર્ભર છે કે નોકરી બદલવાની તેમને હિંમત થતી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X