ઈરાક જઈ રહેલા પાકિસ્તાની યાત્રાળુઓને લઈ જતી બસને નડ્યો અકસ્માત, 35 લોકોના મોત
Pakistan Bus Accident: પાકિસ્તાનથી ઈરાક જઈ રહેલી શિયા શ્રદ્ધાળુઓને લઈને જતી બસને અકસ્માત નડતાં મોટો અકસ્માત થયો છે. વાસ્તવમાં મધ્ય ઈરાનમાં શિયા શ્રદ્ધાળુઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો.
આ બસ અકસ્માતમાં 35 લોકોના મોત થયા હતા. એક અધિકારીએ બુધવારના રોજ આ અગે જાણકારી આપી હતી.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર, સ્થાનિક કટોકટી અધિકારી મોહમ્મદ અલી મલેકઝાદેહે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ઈરાનના યઝદ પ્રાંતમાં મંગળવારે રાત્રે થઈ હતી.

પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, બ્રેક ફેલ થવાને કારણે બસને અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતમાં અન્ય 16 લોકો ઘાયલ થયા છે - અલી મલેકઝાદેહે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં અન્ય 16 લોકો પણ ઘાયલ થયા છે. અકસ્માત સમયે બસમાં 51 લોકો સવાર હતા.
તમામ યાત્રાળુઓ અરબાઈનની યાદમાં ઈરાકની મુલાકાત લઈ રહ્યા હતા, જે 7મી સદીના શિયા સંતના મૃત્યુના 40મા દિવસે મનાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
