પેરિસના મીડિયા હાઉસમાં આતંકી હુમલો, સંપાદક સહિત 12ના મોત
પેરિસ, 7 જાન્યુઆરી: પેરિસમાં મેગઝીન ચાર્લી હેબ્દોના કાર્યાલયમાં એક શખ્શે અંધાધુંધ ફાયરિંગ કર્યું. જેમાં 12 લોકોના માર્યા જવાના સમાચાર છે, હુમલામાં મેગઝીનના સંપાદકનું પણ મોત થયું છે. આ ફાયરિંગ બાદ પોલીસે આખા વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધી છે, સાથે જ તમામ માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઘટના સ્થળે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસિસ હોલાંદ આવી ગયા હતા અને તેમણે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો અને ટેરર એલર્ટ જારી કરી દીધું છે.

નોંધનીય છે કે આ મેગઝીનની ઓફીસમાં ત્રણ વર્ષ પહેલા આગ લગાવી દેવામાં આવી હતી. મેગેઝીને મોહમ્મદ સાહેબની વિરુદ્ધ એક કાર્ટૂન બનાવ્યું હતું, ત્યારબાદ આ મેગેઝીનના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો.
પેરિસના મીડિયા કાર્યાલયમાં થયેલા હુમલાની નિંદા કરતા બ્રિટેનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને જણાવ્યું કે આ સંકટના સમયમા બ્રિટેન ફ્રાંસની સાથે છીએ. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ રોકેટ લોંલર દ્વારા હુમલો કર્યો.
Condemnable & despicable attack in Paris. Our solidarity with people of France. My thoughts are with families of those who lost their lives.
— Narendra Modi (@narendramodi) January 7, 2015 જ્યારે પેરિસના મીડિયા હાઉસમાં થયેલા હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિંદા કરી છે, અને જણાવ્યું કે તેમની સંવેદનાઓ તેમની સાથે છે.
બુકાનીધારી આતંકવાદીઓએ કર્યો હુમલો
કહેવામાં આવી રહ્યું છઠે કે મીડિયા કાર્યાલની અંદર બે બંધૂકધારી ઘુસ્યા અને તેમણે અંધાધુંધ ફાયરિંગ શરું કરી દીધું. એક પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે બે બુકાનીધારી રાયફલની સાથે ઇમારતમાં ઘુસ્યા અને થોડી જ વારમાં ગોળીઓનો અવાજ સંભળાવવા લાગ્યો. ત્યારબાદ લોકો ઇમારતમાંથી ભાગવા લાગ્યા. ફ્રાંસ પોલીસે આ હુમલાને નરસંહાર ગણાવ્યો છે. આ હુમલામાં ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે, જ્યારે પોલીસના બે જવાનો પણ ફાયરિંગમાં માર્યા ગયા છે.
મોહમ્મદ સાહેબના બદલાના લગાવ્યા નારા
હુમલો કરનારા આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપીને, એક કારમાં ભાગવામાં સફળ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આતંકવાદીઓએ મોહમ્મદ સાહેબના બદલાના સૂત્રોચ્ચાર કર્યા હતા.












Click it and Unblock the Notifications
