અફઘાનિસ્તાનમાં સુરક્ષિત છે બધા ભારતીય, તાલિબાન દ્વારા અપહરણ કરવાના સમાચાર ખોટા
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળો પાછા હટ્યા બાદ અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ગયા બાદ તાલિબાને દેશ પર કબજો જમાવી લીધો છે. તાલિબાને કાબુલ પર કબ્જો કર્યા બાદ વિદેશીઓ કોઈપણ રીતે ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભ
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળો પાછા હટ્યા બાદ અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ગયા બાદ તાલિબાને દેશ પર કબજો જમાવી લીધો છે. તાલિબાને કાબુલ પર કબ્જો કર્યા બાદ વિદેશીઓ કોઈપણ રીતે ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત તરફથી પણ તેના નાગરિકો અને કર્મચારીઓને બહાર કાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, અફઘાન પત્રકારોએ દાવો કર્યો હતો કે તાલિબાન દ્વારા 100-150 ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યું છે. જો કે, હવે અફઘાન મીડિયાએ સ્પષ્ટતા કરી છે કે કોઈ ભારતીયનું અપહરણ કરવામાં આવ્યું નથી, પરંતુ તેમને દસ્તાવેજો તપાસવા માટે લઈ જવામાં આવ્યા હતા અને તમામ એરપોર્ટ પર પરત ફર્યા છે.

શું હતો અફઘાન મીડિયાનો દાવો
અફઘાન મીડિયાએ તેના સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે તાલિબાનોએ કાબુલ એરપોર્ટ નજીકથી 150 થી વધુ લોકો, મોટાભાગે ભારતીયોનું અપહરણ કર્યું હતું. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનોએ હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકથી 150 થી વધુ લોકોને લઇ ગયા હતા. જેઓ પોતાના દેશમાં પાછા ફરવા માટે એરપોર્ટ નજીક ભેગા થયા હતા. બાદમાં સ્પષ્ટ થયું કે આવું થયું નથી.

અફઘાન પત્રકારોએ તાલિબાન સાથે વાત કરી
કાબુલમાં કામ કરતા પત્રકાર ઝાકી દરિયાબીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લાહ વાસેકે કાબુલમાંથી લગભગ 150 ભારતીય નાગરિકોના અપહરણની વાતને નકારી છે. તેમણે કહ્યું કે તાલિબાનના પ્રવક્તાએ એટિલાટ્રોઝને કહ્યું કે તેમના લડવૈયાઓએ કોઈને ઉપાડ્યા નથી. કેટલાક લોકો કાગળની કામગીરી માટે ગયા હતા જે પરત ફર્યા હતા.

અફઘાનિસ્તાનમાં ભારે અફરાતફરીનો માહોલ
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને હટાવ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા છે. આવી સ્થિતિમાં તાલિબાન દ્વારા દેશ પર કબજો કર્યા બાદ ત્યાં ભારે અફરાતફરી છે. તાલિબાન હાલમાં નવી સરકાર રચવાની પ્રક્રિયામાં છે. જોકે, તેમણે હજુ સુધી કોઈ સરકાર વિશે અંતિમ જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં દેશમાં ગભરાટનું વાતાવરણ છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી






Click it and Unblock the Notifications
