બાલાકોટની તસવીરો આવી સામે, જુઓ એરસ્ટ્રાઈક બાદ હવે કેવા છે હાલ
બાલાકોટની તસવીરો આવી સામે, જુઓ એરસ્ટ્રાઈક બાદ હવે કેવા છે હાલ
પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલ એરસ્ટ્રાઈકથી મોટી તબાહી થઈ હતી. જેને પાકિસ્તાની સેના દુનિયાભરથી છૂપાવી રહી હતી. પરંતુ ઈટલીના પત્રકાર ફ્રાંસિસા મરીનોએ પોતાના રિપોર્ટમાં કરેલ દાવાથી પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે અને સત્ય સામે આવી ગયું છે. ફ્રાંસિસા મરીનોના રિપોર્ટ મુજબ બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને આતંકી કેમ્પો સાથે જોડાયેલ કેટલાય સબૂતો મટાવ્યા. જ્યારે સંયુક્ત રાષટ્ર દ્વારા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકીની યાદિમાં સામેલ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાની સેના બાલાકોટમાં હાલાત બદલવાની કોશિશ કરી રહી છે.

પાકિસ્તાનનું જૂઠ પકડાયું
રિપોર્ટ મુજબ બ્લૂ પાઈન હોટલ નજીક પહાડી પર મદરેસાના સાઈન બોર્ડ બદલી મુકવામાં આવ્યાં છે. હૉટલની બાજુમાં જૈશના કેમ્પ સુધી રસ્તો જઈ રહ્યો હતો ત્યાં વે તાલીમ-ઉલ-કુરઆન મદરેસાના બોર્ડ લાગેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એરસ્ટ્રાઈક પહેલા અહીં મસૂદ અઝહરના નામે લખેલ બોર્ડ હતું, જેને પાકિસ્તાની સેનાએ હટાવી લીધું છે. જો કે, મદરેસામાં જવા માટે હજુ પણ કોઈને મંજૂરી નથી.

આ પત્રકારે જાહેર કરી તસવીરો
પાકિસ્તાની સેનાએ હજુ પણ વિસ્તારને ઘેર્યો છે. મુજાહિદ બટાલિયનના કેપ્ટન રેન્ક ઑફિસર વિસ્તરની દેખરેખ રાખી રહ્યા છે. લોકલ પોલીસે પણ અહીં જવા માટે પાકિસ્તાની સેનાની મંજૂરી લેવી પડી રહી છે. કેટલાક બાળકો અને 3-4 શિક્ષકોને બાદ કરતાં જૈશના કેમ્પમાં લોકોને સેનાએ હટાવી લીધા છે અને અહીંની ઈમારતોનું સમારકામ ચાલી રહ્યું છે. જૈશના કેમ્પ પાસે હાજર બિસિયન વિસ્તારમાં લોકોમાં ચર્ચા છે કે એરસ્ટ્રાઈક બાદ કુન્હાર નદીમાં કેટલાય લોકોના દેહ તણાતા જોવા મળ્યા હતા.

જુઓ તસવીરો
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જૈશના કેમ્પ પર થયેલ હુમલાનો બદલો લેવાની વાત જૈશના આલાકમાને કહ છે. પરંતુ તેના માટે જૈશ યોગ્ય સમયનો ઈંતેજાર કરશે. જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીની રાત્રે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી તી. તે સમયે એમ કહેવામાં આવ્યું હતું ક એરસ્ટ્રાઈકમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. જો કે પાકિસ્તાન બાલાકોટના હુમલામાં થયેલ નુકસાનની વાતને ફગાવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધીમાં એવા કેટલાય રિપોર્ટ સામે આવી ચૂક્યા છે જેનાથી આતંકી કેમ્પ તબાહ થયા હોવાનો પૂરાવો આપે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
