ચીનથી આવ્યો વધુ એક વિનાશક વાયરસ, જાણો તેના લક્ષણો!
કોરોના બાદ હવે એક નવા વાયરસે દુનિયામાં દસ્તક આપી છે. આ નવા વાયરસનું નામ ઝૂનોટિક લૈંગ્યા છે. 8 ઓગસ્ટે ચીનમાં આ વાયરસના 35 કેસની પુષ્ટિ થઈ છે.
બેઇજિંગ : કોરોના બાદ હવે એક નવા વાયરસે દુનિયામાં દસ્તક આપી છે. આ નવા વાયરસનું નામ ઝૂનોટિક લૈંગ્યા છે. 8 ઓગસ્ટે ચીનમાં આ વાયરસના 35 કેસની પુષ્ટિ થઈ છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં લોકો આ નવા પ્રકારના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે 35 દર્દીઓનો એકબીજા સાથે કોઈ સંપર્ક થયો નથી. આ સાથે આ દર્દીઓના પરિવાર અને નજીકના સંબંધીઓમાં કોઈ ચેપ લાગ્યો નથી. ચીનમાંથી ઉદ્ભવેલો આ નવો વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે.
પ્રાણીઓ દ્વારા ફેલાયો વાયરસ
ધ ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ હેનીપાવાઈરસને લૈંગ્યા હેનીપાવાઈરસ, LAV પણ કહેવામાં આવે છે. આ વાયરસને જૈવ સુરક્ષા સ્તરે 4 પેથોજેન્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તે પ્રાણીઓ અને મનુષ્યોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. હેનીપાવાયરસ પ્રાણીઓમાંથી ફેલાય છે. આ વાયરસ માણસોને ચેપ લગાવી શકે છે. હાલમાં આ વાયરસથી બચવા માટે હજી સુધી કોઈ રસી અથવા દવા બનાવવામાં આવી નથી.
હેનીપાવાયરસનો એક અલગ પ્રકાર
તાજેતરના અહેવાલ મુજબ, આ નવો શોધાયેલો વાયરસ એક ફાયલોજેનેટિકલી અલગ હેનીપાવાયરસ છે. અગાઉ ઓળખાયેલા હેનીપાવાયરસમાં હેન્ડ્રા, નિપાહ, સીડર, મોજીઆંગ અને ઘાનાયન બેટ વાયરસનો સમાવેશ થાય છે. સીડર વાયરસ, ઘાનાયન બેટ વાયરસ અને મોજીઆંગ વાયરસ માનવ શરીરમાં ફેલાતા નથી, પરંતુ હેન્ડ્રા અને નિપાહ વાયરસ મનુષ્યને ચેપ લગાડે છે અને જીવલેણ રોગનું કારણ બની શકે છે.
વાયરલના લક્ષણો
લૈંગ્યા તાવનું કારણ હોવાનું માનવામાં આવે છે. NEJM રિપોર્ટ અનુસાર, Langya નું જીનોમ ઓર્ગેનાઈઝેશન અન્ય હેનીપાવાઈરસ જેવું જ છે અને મોજીઆંગ હેનીપાવાઈરસ સાથે વધુ ગાઢ સંબંધ ધરાવે છે. પૂર્વી ચીનમાં દર્દીઓના સર્વેલન્સ ટ્રાયલ દરમિયાન લૈંગ્યાની શોધ થઈ હતી. 35 દર્દીઓમાંથી 26 આ નવા વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. આ તમામ 26 દર્દીઓને તાવ હતો. તેમાંથી 54 ટકા લોકોને થાક હતો જ્યારે 50 ટકા લોકોને ઉધરસ હતી. આ સાથે 35 ટકા લોકોએ માથાનો દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ કરી હતી. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે 35 ટકા લોકોને લીવર ફેલ્યોર છે જ્યારે 8 ટકા લોકોને કિડની ફેલ્યોર છે. આ સાથે દર્દીઓમાં શ્વેત રક્તકણોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.
આ વાયરસ ક્યાંથી આવ્યો?
સંભાવના છે કે આ નવો વાયરસ પ્રાણીમાંથી માણસમાં આવ્યો છે. તાઈવાનના સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચુઆંગ ઝેન-હસિઆંગે જણાવ્યું કે અત્યાર સુધી આ વાયરસના માનવથી માનવમાં સંક્રમણના કોઈ સંકેત મળ્યા નથી. જો કે હજુ પણ એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ વાયરસ મનુષ્યો વચ્ચે કેવી રીતે ફેલાય છે. તેમણે કહ્યું કે સેરોલોજિકલ સર્વે રિપોર્ટ અનુસાર લગભગ બે ટકા બકરીઓમાં અને પાંચ ટકા કૂતરાઓમાં લૈંગ્યા વાયરસની પુષ્ટિ થઈ છે.
નવો વાયરસ કેટલો ખતરનાક?
નિષ્ણાતોનું કહેવું છે કે આ વાયરસને કારણે હજુ સુધી કોઈનું મોત થયું નથી. પરંતુ તે કેટલું ખતરનાક હોઈ શકે છે તેના પર અત્યારે સંશોધન ચાલી રહ્યું છે. નિષ્ણાતોના મતે અત્યારે ગભરાવાની જરૂર નથી, પરંતુ નિવારક પગલાં લેવા જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, લૈંગ્યા વાયરસ પ્રાણીઓ અને મનુષ્યોમાં ગંભીર રોગ પેદા કરી શકે છે અને તેને બાયોસેફ્ટી લેવલ 4 વાયરસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, મૃત્યુ દર 40-75 ટકાની વચ્ચે છે.