જમ્મુ કાશ્મીરમાં હવે એક પણ આતંકી હુમલો થયો તો થશે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધઃ રિપોર્ટ
જમ્મુ કાશ્મીરમાં હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણી હદ સુધી વધી જશે અને બંને દેશ એક વાર ફરીથી યુદ્ધના મેદાનમાં હશે.
જમ્મુ કાશ્મીરમાં હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણી હદ સુધી વધી જશે અને બંને દેશ એક વાર ફરીથી યુદ્ધના મેદાનમાં હશે. જર્મનીના મ્યૂનિખમાં થોડા દિવસો અગાઉ થયેલી કૉન્ફરન્સ બાદ આવેલા એન્યુઅલ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ વખતે ભારત પહેલાની તુલનામાં ઘણી વધુ મજબૂત પ્રતિક્રિયા આપવા માટે તૈયાર છે. આ રિપોર્ટને રવિવારે ઈશ્યુ કરવામાં આવ્યો છે. આ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભાગ લીધો હતો.

આતંકી સંગઠન બનાવી રહ્યા છે ભારતને નિશાન
રિપોર્ટમાં કાશ્મીર મુદ્દાને આ વર્ષના 10 વિવાદોમાં શામેલ કરવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે કાશ્મીર પર ચાલી રહેલ ભારત અને પાકિસ્તાનમાં જે તણાવ છે તે સંકટ વધારી શકે છે. આમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન, આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ તરીકે ઉપયોગ કરે છે અને પાક સ્થિત આતંકી સંગઠન ભારતને નિશાન બનાવી રહ્યા છે.

ટૉપ 10 સંઘર્ષોની લિસ્ટ
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાઓ જવાની તૈયારી કરી રહી છે અને હવે આ દેશમાં આતંકીઓને રોકવાની કોશિશો કરવામાં આવશે. કાશ્મીર ઉપરાંત અફઘાનિસ્તાનને પણ ટૉપ 10 સંઘર્ષોની લિસ્ટમાં રાખવામાં આવ્યુ છે. રિપોર્ટ મુજબ છેલ્લા અમુક વર્ષોથી કાશ્મીર આંતરરાષ્ટ્રીય રડારથી બહાર હતુ પરંતુ ગયા વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે તનાતનીએ આને ફરીથી સંઘર્ષોની લિસ્ટમાં જગ્યા અપાવી દીધી છે.

કોઈ પણ ક્ષણે થઈ શકે છે પરમાણુ યુદ્ધ
રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે, ‘નવી દિલ્લી પાસે એ અંગેનો કોઈ રોડમેપ નથી કે આગળ શું થશે. સૌથી મોટો ખતરો છે કે હવે કોઈ પણ આતંકી હુમલો તણાવને ઘણો વધારી દેશે. જો કોઈ નવુ સંકટ આવ્યુ તો પછી વિદેશી તાકાતોએ આ વિવાદિત સીમા પર શાંતિ સુનિશ્ચિત કરવા માટે પૂરી તાકાત લગાવવી પડશે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નૉર્થ કોરિયા, ભારત-પાકિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષ કોઈ પણ સમયે પરમાણુ તણાવ તરફ આગળ વધી શકે છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ઈન્ટરનેશનલ બૉર્ડર પર તણાવ વધી ગયો હતો. ત્યારબાદ પાંચ ઓગસ્ટ 2019ના રોજ જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી તો પણ સીમા પર બંને દેશો વચ્ચે સંકટની સ્થિતિ બની ગઈ હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
