કેજરીવાલની પાર્ટી 'AAP' શિકાગોમાં કરશે સંમેલન
દેશભરમાંથી ભારતીય મૂળના અમેરિકનો આ સંમેલનમાં ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ તેને સંબોધિત કરશે.
આપ સંમેલન આયોજિત સમિતિના સદસ્ય ડૉ. મુનીશ રાયજાદાએ કહ્યું હતું કે 'ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક વલણ દાખવવું જરૂરી હોવા પર ભાર મૂકવા માટે આપણે ભેગાં થઇએ છીએ.
તેમને કહ્યું હતું કે આ સંમેલનમાં રાજકીય નેતૃત્વ દ્વારા વધુ જવાબદેહીની માંગણીને લઇને એક પ્રસ્તાવ પારિત કરવાની આશા છે, જેથી લોક સંસ્થાઓને વધુ પ્રભાવશાળી બનાવી શકાય. આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા કુમાર વિશ્વાસ અને પ્રોફેસર યોગેન્દ્ર યાદવ સમર્થકોને સંબોધિત કરવા ભારત આવશે.
આપના અમેરિકી સંમેલનના પ્રવક્તા હર્ષ તનેજાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ભારતના વિકાસ અને તેમાં પ્રવાસી ભારતીયો (એનઆરઆઇ)ની ભૂમિકા પ્રત્યે આપના દ્રષ્ટિકોણ પર, પ્રોફેસર યાદવ સાચા લોકતંત્રમાં નાગરિક કેવી રીતે સશક્ત થાય અને કુમાર વિશ્વાસ 'આઝાદીના 65 વર્ષ એક કવિની નજરથી' પર પોતાના વિચાર પ્રગટ કરશે.