જમાત-એ-ઇસ્લામી નેતાને સજા-એ-મૌત:સુપ્રીમ કોર્ટ
ઢાકા, 12 ડિસેમ્બર: બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે 1971ના માનવતા વિરોધી અપરાધ હેઠળ જમાત-એ-ઇસ્લામી નેતા અબ્દુલ કાદિર મુલ્લાની સજા-એ-મોતની આજે પુષ્ટિ કરી દિધી.
મુખ્ય ન્યાયાધીશ મુજમ્મિલ હુસૈને સમીક્ષા યાચિકા પર બે દિવસની સુનાવણી બાદ ખચાખચ ભરેલા કોર્ટના રૂમમાં કહ્યું હતું કે 'ખારીજ'. મુલ્લાની અરજી નકારી કાઢતાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો એવા સમયે આવ્યો છે કે બે દિવસ પહેલાં અંતિમ ક્ષણોમાં મુલ્લાને રાહત આપતાં નાટકીય રીતે તેમની સજા-એ-મોતની તાલીમ પર પ્રતિબંધ લગાવી દિધો હતો.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સુરક્ષા બળે ઢાકા સેંટ્રલ જેલમાં બંધ 65 વર્ષીય મુલ્લાને સજા આપવાના માર્ગને ખતમ કરી દિધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે યુદ્ધ અપરાધ ન્યાયાધિકરણે 5 ફેબ્રુઆરીના રોજ મુલ્લાને ઉંમરકેદની સજા સંભળાવી હતી. ત્યારબાદ 17 ડિસેમ્બરના રોજ અપીલ વિભાગના ચૂકાદાને સુધારી તેને વધારીને સજા-એ-મૌતમાં પરિવર્તન કરી દિધું.
સુપ્રીમ કોર્ટના ચૂકાદાના આધારે ન્યાયાધિકરણે મુલ્લા માટે એક મૃત્યું વોરંટ જાહેર કર્યું. મુલ્લાએ 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન જે જુલમ કર્યા હતા અને પાકિસ્તાની સૈનિકોની તરફેણ કરી હતી, તેના માટે તેને 'મીરપુરનો કસાઇ' કહેવામાં આવ્યો હતો.
મુલ્લાને મંગળવારે રાત્રે 12:01 વાગે ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યો હતો. પરંતુ આ તે પહેલાં 2 કલાક પહેલાં સજા-એ-મૌતની તાલીમ ટાળી દેવામાં આવી હતી. મુલ્લાના વકિલોએ મુલ્લાને સજા-એ-મૌત સુનાવનાર સુપ્રીમ કોર્ટે ચૂકાદાની સમીક્ષા માટે એક અરજી દાખલ કરી હતી. સ્થગનાદેશ તે યાચીકા પર આપવામાં આવ્યો હતો.