Bangladesh Protest: બાંગ્લાદેશમાં લાગી શકે છે સૈન્ય શાસન? 300 લોકોના મોત, વાંચો મોટી અપડેટ
Bangladesh Protest: બાંગ્લાદેશમાં ઉગ્ર પ્રદર્શનો અને હિંસા વચ્ચે એવી આશંકા છે કે, દેશમાં સૈન્ય શાસન લાદવામાં આવી શકે છે અને આર્મી ચીફ થોડા સમયમાં બાંગ્લાદેશી લોકોને સંબોધિત કરવાના છે.
બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન સોમવારના રોજ બાંગ્લાદેશ સમય મુજબ બપોરે 3 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા આ માહિતીની પુષ્ટિ કરવામાં આવી છે.
ISPR અનુસાર, આર્મી ચીફે દેશવાસીઓને ત્યાં સુધી ધીરજ રાખવાની વિનંતી કરી છે.
રવિવારના રોજ સમગ્ર દેશમાં સત્તાધારી પક્ષ અવામી લીગના સમર્થકો અને કાયદા અમલીકરણકર્તાઓ વચ્ચેની ઘાતક અથડામણમાં ઓછામાં ઓછા 96 લોકો માર્યા ગયા અને એક હજારથી વધુ ઘાયલ થયા હતા. બાંગ્લાદેશમાં હિંસક અથડામણ વિદ્યાર્થીઓના સંપૂર્ણ અસહકાર ચળવળના પ્રથમ દિવસે આવે છે.

અહેવાલો અનુસાર, સમગ્ર બાંગ્લાદેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, અને સમગ્ર દેશમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓએ હથિયાર ઉપાડવાની ધમકી આપી - વિદ્યાર્થી ચળવળના સંયોજક નાહિદ ઇસ્લામે રવિવારે વિરોધીઓને સરકાર ન પડે, ત્યાં સુધી શાહબાગમાં તેમનો વિરોધ ચાલુ રાખવા વિનંતી કરી હતી.
રવિવારે બપોરે 3 વાગ્યે શાહબાગમાં દેખાવકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. અમે આજે લાકડીઓ ઉપાડી લીધી છે. જો લાકડીઓ નહીં ચાલે તો અમે હથિયાર ઉઠાવવા તૈયાર છીએ. નાહિદ ઈસ્લામે અવામી લીગને આતંકવાદી ગણાવ્યા અને જણાવ્યું હતું કે, તેમને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે.
નાહિદ ઇસ્લામે જણાવ્યું હતું કે, આવામી લીગ દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઉભી કરવા માંગે છે. દેશને ગૃહયુદ્ધની પરિસ્થિતિમાં ધકેલવામાં આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, મોબાઈલ ઈન્ટરનેટ ફરી બંધ કરવામાં આવ્યું છે. બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પણ બંધ થઈ શકે છે. આ વખતે આવા ષડયંત્રનો કોઈ ફાયદો થશે નહીં. જો ઈન્ટરનેટ બંધ થશે, તો પણ અમે રસ્તા પર આવીશું.












Click it and Unblock the Notifications
