ગેરકાયદેસર અમેરિકા જતા પહેલા સાવધાન, 500 ફ્લાઈટમાં 1 લાખથી વધુ ઘૂષણખોરોની ઘરવાપસી
વિદેશમાં જઈને પૈસા કમાવવા અને સ્થાયી થવાનું હાલ ભારતીયોમાં ચલણ વધ્યુ છે. પંજાબ અને ગુજરાત સહિતના અનેક રાજ્યોના લોકો અમેરિકા, કેનેડા સહિતના અનેક વિદેશી દેશોમાં ગેરકાયદેસર ઘૂષણખોરી કરતા હોય છે.
અવારનવાર આ અંગેના સમાચારો પણ પ્રકાશિત થતા હોય છે. ત્યારે આ અંગે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ ગેરકાયદે રહેતા ભારતીયોને ભારત મોકલવાના શરૂ કર્યા છે. આ સમગ્ર મિશન માટે અમેરિકા દ્વારા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હવે અમેરિકા ઘૂષણખોરો વિરુદ્ધ કડકાઈથી પગલાં લઈ રહ્યું છે. બહરહાલ હોમલેંડ વિભાગે ભારત સરકારના સહોયથી ભારતીય નાગરિકોની ઘરવાપસી કરાવી છે.
અમેરિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી અનુસાર, 25 ઓક્ટોબરે હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, આ પગલું ભારત સરકારના સહયોગથી લેવામાં આવ્યું છે. આ માટે 22 ઓક્ટોબરે એક ચાર્ટર ફ્લાઈટ ભારત મોકલવામાં આવી છે. હવે અમેરિકા તેના ઇમિગ્રેશન કાયદાને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનું કહેવું છે કે તે દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂષણખોરી કરનારાઓ પર સખત નિયંત્રણ અને જે પણ લોકો કાનૂની પ્રવેશ કરવા માંગતા હોય તે લોકો સુવ્યવસ્થિત રીતે પ્રવેશ કરે તે માટે અમેરિકા સરકાર અને તંત્ર કામ કરી રહ્યું છે.
આ કારણોસર ઘણા ભારતીયો જેમને ગેરકાયદેસર ઘૂષણખોરી કરીને અમેરિકામાં પ્રવેશ કર્યો છે તેમને પરત મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે તેમને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે.
જૂન 2024માં સરહદ સુરક્ષા અને વચગાળાના કાયદા લાગુ થતાની સાથે અમેરિકાની દક્ષિણ-પશ્ચિમ સરહદ પર સરહદ ક્રોસિંગથી ગેરકાયદે ઘૂષણખોરીમાં 55 ટકા ઘટાડો થયો છે. આ સિવાય નાણાકીય વર્ષ 2024ના મધ્યમાં 160,000થી વધુ લોકોને જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા તેમને તેમના દેશમાં પાછા મોકલવામાં આવ્યા છે.
આ લિસ્ટમાં ભારત સહિત 145થી વધુ દેશોના લોકોને પરત મોકલવા માટે 495થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરાઈ છે. આ કાર્યવાહી એ લોકો સામે કરવામાં આવી છે જેમની પાસે અમેરિકામાં રહેવા માટે માન્ય કાનૂની કાગળો નથી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
