અપ્રવાસી ભારતીયોને અમેરિકામાં મળી ખુશખબરી, બાઈડેન પ્રશાસને વર્ક પરમિટ પર આપી મોટી ભેટ
અમેરિકામાં રહેતા હજારો અપ્રવાસી ભારતીયોના કામકાજને લઈને બાઈડેન પ્રશાસને ઘણો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
વૉશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા હજારો અપ્રવાસી ભારતીયોના કામકાજને લઈને બાઈડેન પ્રશાસને ઘણો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને અપ્રવાસીઓને અમુક શ્રેણીઓમાં વર્ક પરમિટની સીમાને ઑટોમેટિક રીતે વધારવાની ઘોષણા કરી છે જેમાં ગ્રીન કાર્ડ ઈચ્છતા અને એચ-1બી વિઝાધારકોના જીવનસાથી પણ શામેલ છે, જેમને રોજગાર પ્રાધિકરણ કાર્ડ(ઈએડી) મળે છે.

હજારો અપ્રવાસી ભારતીયોને લાભ
બાઈડેન પ્રશાસને વર્ક પરમિટને ઑટોમેટિક રીતે દોઢ વર્ષ માટે વધારવાનો નિર્ણય કર્યો અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે મંગળવારે આની ઘોષણા કરી દીધી છે. જેનાથી હજારો પ્રવાસીઓને લાભ મળવાની સંભાવના છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે કહ્યુ છે કે વર્તમાન ઈએડી પર જે એક્સપાયરી ડેટ લખવામાં આવી છે, તે 180 દિવસ માટે છે પરંતુ તેને હવે ઑટોમેટિક રીતે 540 દિવસ સુધી વધારી દેવામાં આવશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ એટલે કે(યુએસસીઆઈએસ)ના ડાયરેક્ટર ઉર એમ જદૌએ કહ્યુ કે, 'જેમ યુએસસીઆઈએસ(યુએસ સિટિઝનશિપ એંડ ઈમિગ્રેશન સર્વિસિઝ) પેન્ડીંગ ઈએડી કેસલોઓડ્સને સંબોધિત કરવા માટે કામ કરે છે, હવે એજન્સીએ નિર્ધારિત કર્યુ છે કે રોજગાર પ્રાધિકરણ માટે હાલમાં જે વર્ક પરમિટ 180 દિવસની મળે છે, તે અપૂરતી છે.'

અમેરિકી ગૃહ વિભાગે શું કહ્યુ
અપ્રવાસી ભારતીયો માટે વર્ક પરમિટ વધારવાને લઈને અમેરિકી ગૃહ વિભાગે કહ્યુ કે, બાઈડેન પ્રશાસનના આ નિર્ણયથી બિન-નાગરિક હવે વર્ક પરમિટ માટે ઑટોમેટિક ઉપયુક્ત થઈ જશે, જેમને રોજગારની જરુર છે, જેથી તે પોતાના પરિવારની મહત્વપૂર્ણ સહાયતા કરી શકે અને અમેરિકી કામગારોને આગળ કોઈ મુશ્કેલી ન થાય. હોમલેન્ડ વિભાગે પોતાની ઘોષણામાં કહ્યુ છે, યુએસસીઆઈએસ અનુસાર, પેન્ડીંગ ઈએડી નવીનીકરણ આવેદનવાળા બિન-નાગરિક, જેમની 180 દિવસની વર્ક પરમિટ ખતમ થઈ ગઈ છે અને જેમની ઈએડી સમાપ્ત થઈ ગઈ છે, તેમને 4 મે, 2022થી શરુ થતા અને 540 દિવસ સુધી ચાલતા રોજગાર પ્રાધિકરણ અને ઈએડી માન્યતાવૂ એક વધુ અવધિ આપવામાં આવશે. જેનાથી એ ફરીથી રોજગાર કરી શકે છે.

ભારતીય કામગારોને પણ ફાયદો
ભારતીય અમેરિકી સમુદાયના નેતા અજય જૈન ભૂટોરિયાએ કહ્યુ કે બાઈડેન પ્રશાસનના આ નિર્ણયથી 87 હજાર અપ્રવાસીઓને ત્વરિત ફાયદો થશે અને તેમને તત્કાલ મદદ મળી શકશે, જેમની વર્ક પરમિટ ખતમ થઈ ગઈ છે અથવા આગલા 30 દિવસની અંદર ખતમ થવાની છે. બાઈડેન પ્રશાસનના આ નિર્ણયનો હેતુ કુલ મળીને 4 લાખ 20 હજાર અપ્રવાસીઓની વર્ક પરમિટ વધારવાનો છે જેથી તેમને કામ ગુમાવવાની ક્ષમતાથી બચાવી શકાય. તેમણે કહ્યુ કે આ નીતિ દેશની કાનૂની અપ્રવાસ એજન્સીમાં 15 લાખ વર્ક પરમિટ આવેદનોના અભૂતપૂર્વ બેકલૉગને સંબોધિત કરવા માટે છે જેનાથી હજારો લોકો કાનૂની રીતે કામ કરવામાં અસમર્થ છે અને શ્રમની કમીને વધારી રહ્યા છે. ભૂટોરિયાએ નીતિમાં બદલાવનુ સ્વાગત કર્યુ છે કારણકે મોટાભાગની કંપનીઓ કર્મચારીઓની ભાર કમીનો સામનો કરી રહી છે અને આ નિર્ણય બાદ તે પોતાના કામ મુજબ કર્મચારીઓની ભરતી કરી શકશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
