રશિયાના મેટ્રો સ્ટેશન પર બ્લાસ્ટ, 10ની મોત, 50 ઇજાગ્રસ્ત
રશિયાના સેન્ટ પીટર્સબર્ગ મેટ્રો સ્ટેશનમાં બે બ્લાસ્ટ થતા અનેક 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે 10 લોકોના મોતની ખબર આવી છે.
રશિયા ના સેન્ટ પીટર્સબર્ગમાં સેનાયા પ્લોશૈસ્ડ મેટ્રો સ્ટેશનમાં બે બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટ માં ભારતીય સમયના 7 વાગ્યા સુધી જે ખબર આવ્યા છે તે મુજબ 10 લોકોની મોત થઇ છે. અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે બ્લાસ્ટની પ્રચંડતાને જોતા હજી પણ વધુ લોકોની મોતના ખબર આવી શકે છે. આ પછી અધિકારીઓએ તમામ મેટ્રો સ્ટેશન્સ બંધ કરાવી દીધા છે. અધિકારીઓએ જે મુજબ જણાવ્યું તે પ્રમાણે આ બ્લાસ્ટ આઇઇડી બ્લાસ્ટ હતા. નોંધનીય છે કે આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદામિર પુટિન પણ સેન્ટ પીટર્સબર્ગમાં જ હતા જ્યારે આ હુમલો થયો હતો.

નોંધનીય છે કે જે મેટ્રો સ્ટેશન પર બ્લાસ્ટ થયો છે તે અહીંનું સૌથી વધુ ભીડભાડ વાળું મેટ્રો સ્ટેશન છે. અને તે અહીંના જાણીતા શોપિંગ મોલને વિસ્તારને એકબીજા સાથે જોડે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં પણ મોસ્કોના બે મેટ્રો સ્ટેશન પર આત્મધાતી હુમલા થયા હતા. જેમાં 40 લોકોની મોત થઇ હતી અને 100 વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ હુમલાની જવાબદારી ચેચન વિદ્રોહીઓએ લીધી છે. રાષ્ટ્રપતિએ આ ઘટના પછી શોક વ્યક્ત કર્યો છે. અને તપાસના આદેશ આપ્યા છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
