બાંગ્લાદેશ: ઇદની નમાઝ વખતે થયો વિસ્ફોટ, 12 ઇજાગ્રસ્ત, 2ની મોત
એક અઠવાડિયાની અંદર બાંગ્લાદેશમાં ફરી થયો છે આતંકી હુમલો. બાંગ્લાદેશના કિશોરગંજ વિસ્તારના શોલકિયા દરગાહમાં નમાઝ વખતે બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 2 પોલિસકર્મીઓની મૃત્યુ થઇ છે. માર્યા ગયેલા પોલિસ કર્મીમાંથી એક પોલિસ કર્મીનું નામ જહીરુલ ઇસ્લામ હતું.
નોંધનીય છે કે ઇદના કારણે આ શોકલિયા દરગાહમાં મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને સુરક્ષાકર્મીઓને ટાર્ગેટ બનાવીને આ હુમલા કરવામાં આવ્યો છે. જે બાદ આ વિસ્તાર પર નાકાબંધી કરવામાં આવી છે. અને પ્રાપ્ત ખબરો મુજબ સુરક્ષાબળોએ હુમલાખોરને મારી નાખ્યો છે. અને હાલ આંતકીઓ અને સુરક્ષાદળ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.

જો કે નમાઝ પઢતા તમામ લોકોને સુરક્ષિત દરગાહમાંથી બહાર નીકાળી દેવામાં આવ્યા છે. સવારે 9 વાગે જ્યારે આ ધટના થઇ ત્યારે અહીં લગભગ 3 લાખ લોકો નમાઝ માટે હાજર હતા તેવી માહિતી મળી છે. નોંધનીય છે કે એક જ અઠવાડિયામાં રમઝાન જેવા પવિત્ર મહિનામાં આવા આંતકી હુમલા થવા ખરેખરમાં દુખની વાત છે.












Click it and Unblock the Notifications
