English Channel મા મોટી દુર્ઘટના, યાત્રીઓથી ભરેલી નાવ પલટી, 6 ની મોત, 50 લોકોનુ રેસ્ક્યુ
Boat sank in English channel: ફ્રાંસમાં ઇંગ્લિશ ચેનલને પાર કરી રહેલી પ્રવાસી યાત્રીઓથી ભરેલી નાવ અચાનક પલટી ગઇ હતી. દુર્ઘટના સમયે ફ્રાંસીસી નૌસેનાની તત્પરતાને લીધે નાવમાં સવાર 50 યાત્રીઓના જીવને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 6 લોકોની પાણીમાં ડૂબી જવાથી મૌત થઇ ગઇ હતી. જ્યારે 2 લોકો ગુમ થયેલ છે. રિપોર્ટસ અનુસાર આવી દુર્ઘટના નાવમાં ક્ષમતાથી વધારે યાત્રીઓના સવાર થવાથી થાય છે. જહાજ ઓવરલોડ થવાને લીધે અનિયંત્રિત થઇ ગઇ હતી.

ઇંગિલશ ચેનલ દુનિયાના સૌથી વ્યક્ત જલમાર્ગમાથી એક છે. અંહિયા આ પ્રકારની ઘટનાઓની સંભાવના વધારે હોય છે. એવામાં ફ્રાંસીસ નૌસેનાના રેસ્ક્યુ ટીમે એક હાઇઅલર્ટ પર રાખ્યુ હતુ. આ વર્ષે માર્ચમાં બ્રિટેન તરફના દુર્ઘટનાને રોકવા માટે પેરિસને વાર્ષિક કોરોડો યૂરો મોકલવા પર સહમતીબની છે. ત્યાર બાદ ફ્રાસીસી અધિકારીઓએ કડકાઇ વધારી દિધી હતી.
ઇંગ્લિશ ચેનલમાં પ્રવાસીઓની મૌત પર યુકેના ગૃહ સચિવ સુએલા બ્રૈવરમેને પોતાના અધિકારીક ટ્વીટર પર એક પોસ્ટ દ્વારા સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પોતાના ટ્વીટર પર લખ્યુ કે, " મારી સંવેદના ઇંગ્લિશ ચેનલમાં થયેલ મૃતકોના પરિજનો સાથે છે. સવારે અમે ટત પર તૈનત ટીમ સાથે વાત કરી હતી."
ફ્રાંસના પ્રધાનમંત્રી એલિજાબેથ બોર્ને ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે સંવેદના સંદેશમાં લખ્યુ કે, " હું ફાસીસી નૌસેનાની પ્રતિબદ્ધતાને સલામ કરુ છુ. જેમણે જહાજમાં ડૂબી રહેલા લગભગ પચાસ લોકોને બચાવ્યા હતા. દુખદ મૌત પર મૃતકોના પરીજનો સાથે અમારી સંવેદના છે. સ્થિતિને જોતા રાજ્ય સચીવ હર્વે બર્વિલ ઘટના સ્થળે જઇ રહ્યા છે.
સીએનએનના એક રિપર્ટ અનુસાર રેસ્ક્યુ કરવામાં આવેલ લોકોએ જણાવ્યુ હતુ કે, નાવમાં 65 કે 66 લોકો સવાર હતા. ઘટનાને લઇને સ્થાનીક મેયર ફ્ર્રૈક મયર ડર્સિને અમુક પ્રવાસીઓની તસવીર શેયર કરી હતી. આ તસવીર તે લોકોને છી જેમેને ઇંગ્ળીશ ચેનલમાથી રેસ્કુય કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
