બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથનુ નિધન, બે દિવસ પહેલા જ નવા પ્રધાનમંત્રી સાથે કરી હતી મુલાકાત
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનુ 96 વર્ષની વયે અવસાન થયુ છે.
લંડનઃ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનુ 96 વર્ષની વયે અવસાન થયુ છે. ગુરુવારે તેમની તબિયત બગડતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બપોરે તેમનુ નિધન થયુ હતુ. બકિંગહામ પેલેસ દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. રાજવી પરિવાર એલિઝાબેથને જોવા માટે સ્કૉટલેન્ડ જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે ક્વીન એલિઝાબેથ 2 છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યુ છે કે જ્યારે હું વર્ષ 2015 અને 2018માં યુકેની મુલાકાતે ગયો હતો ત્યારે રાણી એલિઝાબેથ દ્વિતીય સાથેની મારી મુલાકાત યાદગાર રહી હતી. હું તેમની હૂંફ અને દયાળુતા ક્યારેય ભૂલીશ નહિ. એક મીટિંગ દરમિયાન તેમણે મને તે રૂમાલ બતાવ્યો જે તેમને મહાત્મા ગાંધી દ્વારા લગ્નની ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. એ ક્ષણોને હું ક્યારેય ભૂલી નહિ શકુ.
તમને જણાવી દઈએ કે 96 વર્ષની ઉંમરમાં મહારાણી એલિઝાબેથે 70 વર્ષ સુધી બ્રિટન પર શાસન કર્યુ. એલિઝાબેથ દ્વિતીયે 1952માં બ્રિટનની રાણી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જો કે, જૂન 1953માં તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો. 70 વર્ષમાં રાણીએ 15 વડા પ્રધાનોની નિમણૂક કરી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
