બ્રિટનના સંશોધકોએ જણાવ્યું ચીનમાં પ્રથમ વાર ક્યારે ફેલાયો હતો કોરોના વાઇરસ TOP NEWS

બ્રિટનના સંશોધકોએ જણાવ્યું ચીનમાં પ્રથમ વાર ક્યારે ફેલાયો હતો કોરોના વાઇરસ TOP NEWS

શું ચીનના સીફૂડ માર્કેટમાંથી જ ફેલાયો છે કોરોના?

બ્રિટનના સંશોધકોના એક અભ્યાસ આધારે એવું અનુમાન કર્યું છે કે ચીનમાં કોરોના સંક્રમણનો સૌપ્રથમ મામલો ઑક્ટોબર, 2019માં આવ્યો હશે.

બ્રિટનની યુનિવર્સિટી ઑફ કેન્ટના સંશોધકોએ એક મેડિકલ જર્નલમાં પોતાનો આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

તેમાં કહેવાયું છે કે કંઝર્વેશન સાયન્સની રીતોનો ઉપયોગ કરીને સંશોધકોને જાણવા મળ્યું છે કે સાર્સ-કોવિડ-2નો પ્રથમ મામલો ઑક્ટોબરથી નવેમ્બર, 2019ની વચ્ચે આવ્યો હશે.

જોકે, ચીન પ્રશાસન પ્રમાણે કોવિડ-19નો પ્રથમ મામલો ડિસેમ્બર, 2019માં નોંધાયો જેને વુહાનના સીફૂડ માર્કેટ સાથે જોડીને જોવામાં આવે છે.

પરંતુ બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે 'એ વાતની સંભાવના ખૂબ વધુ છે કે કોરોના વાઇરસ પ્રથમ વખત કોઈ મનુષ્યના શરીરમાં 17 નવેમ્બરે પ્રવેશ્યો હોય જે બાદ તે જાન્યુઆરી 2020 સુધી વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ગયો.'

જેથી આ વાઇરસની ઉત્પત્તિનો વુહાનના સીફૂડ માર્કેટ સાથે કદાચ કોઈ લેવા-દેવા નથી, પરંતુ તે અગાઉથી જ ફેલાવા લાગ્યો હતો.


ગુજરાત સરકારે વેપારી એકમોને કહ્યું, "સ્ટાફને રસી આપો અથવા યુનિટ બંધ"

મુખ્ય મંત્રી વિજય રૂપાણી

ગુરુવારે ગુજરાત સરકારે જે 18 શહેરોમાં નાઇટ કર્ફ્યુ જારી રાખવામાં આવ્યો છે, ત્યાં આવેલા વેપારી અને વ્યવસાયિક એકમોને પોતાના સ્ટાફને 30 જૂન સુધી કોરોનાની રસી આપવાનો હુકમ કર્યો હતો. આ શહેરો સિવાય રાજ્યના તમામ વિસ્તારોમાં આ મર્યાદા 10 જુલાઈ સુધી વધારી દેવાઈ છે.

અહીં નોંધનીય બાબત એ છે કે સરકારની તાજેતરની જાહેરાત મુજબ જે યુનિટ આ શરત નહીં માને તેને બંધ કરી દેવાશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાતના માહિતી ખાતા દ્વારા જારી કરાયેલ નિવેદન અનુસાર, "રાજ્યનાં જે 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે ત્યાં આવેલી તમામ ધંધાકીય અને વ્યવસાયિક સંસ્થાઓએ 30 જૂન સુધી પોતાના સમગ્ર સ્ટાફને રસી અપાવવી જરૂરી છે."

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં થયેલી કોર કમિટીની બેઠકમાં 18 શહેરોમાં નાઇટ કર્ફ્યુ ચાલુ રાખવાનો અને વેપારી-ધંધાકીય એકમોના કામદારો માટે રસીકરણ ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો હતો.


ગુજરાત : કોરોનાના 129 નવા કેસ, બે મૃત્યુ

ગુજરાતમાં સતત ઘટાડા પર છે કોરોનાના નવા કેસ

યાહુ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુરુવારે ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 129 કેસ આવ્યા હતા. જે પૈકી બે દર્દીનાં મૃત્યુ થયાં હતાં.

નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં 590 કોરોનાના દર્દીઓ સાજા પણ થયા હતા.

રાજ્યમાં હવે કુલ 8,08,418 કોરોનાના કેસો નોંધાઈ ચુક્યા છે.

રાજ્યના આરોગ્ય ખાતાએ આપેલી માહિતી મુજબ અત્યાર રાજ્યનો રિકવરી રેટ 98.24 ટકા થઈ ગયો છે.

તાજેતરમાં ગુજરાતમાં 4,427 ઍક્ટિવ કેસો છે, જે પૈકી 51 દર્દીઓ વૅન્ટિલેટર પર છે.


ગુજરાતમાં નવ દિવસમાં 'લવ જેહાદ'નો ત્રીજો મામલો સામે આવ્યો

વડોદરામાં વધુ એક લવ જેહાદનો મામલો સામે આવ્યો હતો

ગુરુવારે વડોદરામાં વધુ એક કથિત 'લવ જેહાદ'નો મામલો સામે આવ્યો હતો.

જેમાં પોલીસે પીડિતાની ફરિયાદ પર તેમના પતિ મોહિબ પઠાણ, પતિના ભાઈ મોહસીન પઠાણ અને સસરા ઇમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે, 15 જૂનથી રાજ્યમાં ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિય (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ, 2021 અમલમાં આવ્યા બાદથી માત્ર નવ દિવસમાં રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં કથિત 'લવ જેહાદ'ના ત્રણ મામલા સામે આવી ચુક્યા છે.

વડોદરાના આ મામલામાં પીડિતાનો આરોપ છે કે એક વર્ષ પહેલાં મોહિબ પઠાણ સાથે તેમનાં લગ્ન થયાં હતાં.

તેમને ખાતરી આપવામાં આવી હતી કે લગ્ન પછી તેમનું ધર્મપરિવર્તન નહીં કરાવવામાં આવે. પરંતુ પાછળથી તેમના પર દબાણ કરાયું હોવાનો પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

પીડિતાએ પોતાની ફરિયાદમાં તેમના પતિ પર શારીરિક અત્યાચાર આચરવાનો પણ આરોપ મુક્યો છે.

નોંધનીય છે કે આ મામલામાં પીડિતા હિંદુ ધર્મનાં હોવાનું ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે.

પીડિતાને ધર્મ નહીં બદલવો પડે તેની ખાતરી અપાયા બાદ તેમના પર દબાણ કરી તેમનું નામ બદલી નાખવામાં આવ્યું હોવાની વાતનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/t3QAX_MqCbk

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X