ભારત, પાકિસ્તાનને પરમાણુ શક્તિ નથી માનતુ ચીન, નોર્થ કોરિયાને પણ નહિ માને
ચીને શુક્રવારે કહ્યુ છે કે તેણે ક્યારેય ભારત કે પાકિસ્તાનને પરમાણુ શક્તિ તરીકે માન્યતા આપી નથી.
ચીને શુક્રવારે કહ્યુ છે કે તેણે ક્યારેય ભારત કે પાકિસ્તાનને પરમાણુ શક્તિ તરીકે માન્યતા આપી નથી. આ સાથે તેણે નોર્થ કોરિયાને પણ આવી માન્યતા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. થોડા દિવસો અગાઉ વિયેતનામના હનોઈમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉન વચ્ચે એક મીટિંગ થઈ હતી. આ મુલાકાત નિષ્ફળ રહી હતી. ત્યારબાદ ચીન તરફથી આ પ્રતિક્રિયા આવી હતી.

એનએસજીમાં ભારતની એન્ટ્રી પર ચીનનો પડછાયો
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લૂ કાંગ તરફથઈ કહેવામાં આવ્યુ છે કે, 'ચીને ક્યારેય પણ ભારત, પાકિસ્તાનને પરમાણુ શક્તિ સંપન્ન દેશો તરીકે નથી સ્વીકાર્યા. આ સ્થિતિ પર અમારુ વલણ ક્યારેય નહિ બદલાય.' લૂ એ સવાલનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમને પૂછવામાં આવ્યુ હતુ કે શું ચીન, ભારત અને પાકિસ્તાનની જેમ નોર્થ કોરિયાને પરમાણુ તાકાતથી સંપન્ન દેશ માને છે?
ચીન હંમેશાથી 48 દેશોવાળા ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપ (એનએસજી) માં ભારતની એન્ટ્રીમાં અડચણો નાખતુ આવ્યુ છે. ચીનનું કહેવુ છે કે ભારતે અત્યાર સુધી ન્યૂક્લિયલ નોન-પ્રોલિફેરેશન ટ્રીટી (એનપીટી) પર હસ્તાક્ષર નથી કર્યા. ભારતે જ્યારે એનએસજીના સભ્યપદ માટે ફોર્મ ભર્યુ તો પાકિસ્તાને પણ આના માટે એપ્લાય કરી દીધુ.












Click it and Unblock the Notifications
