દુનિયામાં કોરોનાથી થતા મોતની ટકાવારી વધી, નવા કેસમાં પણ 8 ટકાનો વધારો-WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કહ્યું છે કે, છેલ્લા અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે કોરોના વાયરસથી મૃત્યુ આંકમાં 21 ટકાનો વધારો થયો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કહ્યું છે કે, છેલ્લા અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે કોરોના વાયરસથી મૃત્યુ આંકમાં 21 ટકાનો વધારો થયો છે. અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં મોટા ભાગના 69,000 લોકોના મોતમાંથી મોટાભાગના મોતી સૂચના મળી હતી. સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીએ એ પણ નોંધ્યું છે કે, વિશ્વભરમાં COVID-19 કેસોમાં 8 ટકાનો વધારો થયો છે. જે પછી આ સંખ્યા 194 મિલિયન નજીક પહોંચી છે.

દુનિયામાં ઝડપની વધી રહ્યા છે કેસ
WHO અનુસાર જો આ રીતે વધારો ચાલુ રહેશે તો આગામી બે અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે નોંધાયેલા કેસની સંખ્યા 200 મિલિયનથી વધુ થઈ શકે છે, ડબ્લ્યુએચઓએ ઉમેર્યું હતું કે, યુરોપ સિવાયના તમામ ક્ષેત્રોમાં COVID-19 ના મોતની સંખ્યામાં વધારો થયો છે. અમેરિકા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, બ્રિટન અને ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

વિશ્વના દેશો જરૂરી પગલાં લે-WHO
કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા દરેક દેશ પોતાની રીતે જરૂરી પગલાં લઈ રહ્યું છે, કેટલાક દેશ પગલા લેવાનું વિચારી રહ્યા છે. વ્હાઇટ હાઉસ સંઘીય કર્મચારીઓના રસીકરણની જરૂરિયાત પર ભારપૂર્વક વિચારણા કરી રહ્યું છે. ટોક્યોના રાજ્યપાલે યુવાનોને રસી આપવા વિનંતી કરી છે. ઔસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં વધુ એક મહિના સુધી લોકડાઉન રહેશે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારે બુધવારે કહ્યું કે, 5 મિલિયન વસ્તી ધરાવતા શહેરમાં 24 કલાકમાં 177 નવા કેસ નોંધાતા લોકડાઉન ઓછામાં ઓછા 28 ઓગસ્ટ સુધી ચાલશે.

અડધી વસ્તીને રસી અપાઇ હોવાનો જર્મનીનો દાવો
જર્મનીનું કહેવું છે કે, તેની અડધી વસ્તીને કોવિડ-19 ની રસી આપવામાં આવી છે, જે રસીકરણ અભિયાનમાં માઈલ સ્ટોન સમાન છે. જેમાં છેલ્લા અઠવાડિયામાં ઘટાડો નોંધાયો છે. બુધવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે, મંગળવારે સુધીમાં 41.8 એટલે કે 50.2 ટકા લોકોને રસી અપાઈ ચુકી હતી. બીજી તરફ 50.8 મિલિયન એટલે કે 69.9 ટકા લોકોને રસીનો એક ડોઝ મળી ચુક્યો છે.












Click it and Unblock the Notifications
