બ્રિટનઃ શાહી પરિવાર સુધી પહોંચ્યો કોરોના, પ્રિંસ ચાર્લ્સના ટેસ્ટ પૉઝિટિવ
બ્રિટનઃ શાહી પરિવાર સુધી પહોંચ્યો કોરોના, પ્રિંસ ચાર્લ્સના ટેસ્ટ પૉઝિટિવ
નવી દિલ્હીઃ બ્રિટેનના પ્રિંસ ચાર્લ્સને કોરોના સંક્રમણ ઈ ગયું છે. 71 વર્ષીય પ્રિંસ ચાર્લ્સના ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. બ્રિટેનમાં કોરોનાના મામલા સતત સામે આવી રહ્યા છે. હવે બ્રિટેનમાં શાહી પરિવાર સુધી કોરોના પહોંચી ગયો છે. જાણકારી મુજબ પ્રિંસ ચાર્લ્સને કોરોના વાયરસનું સંક્રમણ થયા બાદ તેમને સૌથી અલગ રાખવામાં આવ્યા છે અને તેમનો ઈલાજ કરાવવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે થોડા સમય પહેલા મોનૈકોના પ્રિંસ અલ્બર્ટે બ્રિટેનના પ્રિંસ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. હાલમાં જ મોનૈકો પ્રિંસને કોરોનાનો વાયરસ પોઝિટિવ મળ્યો હતો. જે બાદથી જ આશંકા જતાવાઈ રહી હતી કે તેમને પણ વાયરસ પોતાના લપેટામાં લઈ શકે છે. ઈંગ્લેન્ડમાં ગત કેટલાક દિવસોમાં તેજીથી કોરોનાવાઈરસ ફેલાઈ રહ્યો છે. આ વાયરસના લપેટામાં ત્યાં હાલ આઠ હજારથી વધુ લોકો આવી ચૂક્યા છે. જ્યારે ચારથી વધુ મોત થઈ ચૂક્યાં છે.
કોરોનાના મામલા દુનિયાભરમાં વધી રહ્યા છે. ભારતમાં પણ સ્થિતિ નાજુક થતી જઈ રહી છે. બુધવારે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત મામલાની સંખ્યા 562 સુધી પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં આ મહામારીથી 9 લોકોના મોત થઈ ચૂક્યાં છે. દુનિયાભરમાં વાત કરીએ તો સાડા ચાર લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 19 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે. ઈટલીમાં સૌથી વધુ 6800 લોકોના મોત થયાં છે.
મંગળવારે સાંજે પીએમ મોદીએ દેશને સંબોધન કરતી વખતે ભારતમાં લૉકડાઉનનું એલાન કર્યું છે. કોરોના વાયરસના વધતા ખતરાને જોતા સોમવારથી જ દેશના મોટાભાગના ભાગો બંધ છે. જ્યારે પીએમ મોદીના એલાન બાદ 25 માર્ચથી આખા દેશમાં લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. પંજાબ, મહારાષ્ટ્રમાં સોમવારથી કર્ફ્યૂ લાગેલું છે.
રાહત પેકેજઃ દરેક અમેરિકનને મળશે 1 લાખ રૂપિયા, બાળકોને 50 હજાર રૂપિયા