Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેનેડા સરકારે જાહેર કરી એડવાઈઝરી, ના જાવ જમ્મુ કાશ્મીર

કેનેડા સરકારે ફરી એકવાર ભારત વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે. આ પછી હવે કેનેડા સરકારે જમ્મુ-કાશ્મીરને લઈને એડવાઈઝરી જાહેર કરી છે.

કેનેડા સરકારે તેના દેશના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની મુલાકાત દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીર ન જવું જોઈએ. કેનેડા સરકારે નાગરિકોને અહીં જવાનું ટાળવાની સલાહ આપી છે કારણ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ, અશાંતિ અને અપહરણનો ખતરો છે.

justin trudeau

જો કે લદ્દાખને લઈને એડવાઈઝરીમાં આવું કંઈ કહેવામાં આવ્યું નથી. ભારત સિવાય કેનેડા સરકારે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોને સલાહ આપી છે કે તેઓ બોર્ડરથી 10 કિલોમીટરના વિસ્તારમાં જવાનું ટાળે, અહીં લેન્ડમાઈન હોઈ શકે છે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત, પંજાબ અને રાજસ્થાનના એવા વિસ્તારોમાં જવાનું ટાળો જે પાકિસ્તાનની સીમાથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવે છે. તમને જણાવી દઈએ કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. આ પછી કેનેડા સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને પણ બરતરફ કરી દીધા હતા. ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં કેનેડાના સરે શહેરમાં ગુરુદ્વારા બહાર હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરદીપ સિંહ નિજ્જરને ગુરુદ્વારા બાદ પાર્કિંગમાં બે યુવકોએ ગોળી મારી હતી. હરદીપ સિંહ નિજ્જર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X