નહેરૂ-એડવિના વચ્ચે શારિરીક સંબંધ ન હતા
પુસ્તકમાં જણાવ્યા અનુસાર ભારતના અંતિમ વાયસરોય લોર્ડ માઉન્ટબેટને પોતાની પત્ની લેજી માઉન્ટબેટન અને જવાહરલાલ નહેરૂના સંબંધો અંગે જાણ હતી પરંતુ તેમને ક્યારેય કોઇ હસ્તક્ષેપ કર્યો નથી. પામેલા માઉન્ટબેટનનું કહેવું છે કે નહેરૂ અને તેમની માતા વચ્ચે ગાઢ સંબંધ હતા. આ ગાઢ સંબંધ કોઇ શારિરીક કે યૌન સંબંધ ન હતો.
પુસ્તકમાં જણાવ્યા અનુસાર જવાહરલાલ નહેરૂના રૂપમાં એડવિનાએ એક એવો સાથી મળ્યો હતો જેનાથી તેને શાંતિ મળતી હતી. પામેલા માઉન્ટબેટનના જણાવ્યા અનુસાર તેની માતાએ જવાહરલાલ નહેરૂમાં ભાવાત્મક લાગણી જોઇ હતી જેથી તે તેમના પ્રેમમાં પાગલ હતી.
પુસ્તકમાં જણાવ્યા અનુસાર બંને એકબીજાના એકલાપણાને દૂર કરવા માટે મદદ કરતા હતા. પામેલાએ જણાવ્યું હતું કે ભારતમાં રહ્યા દરમિયાન મે જવાહરલાલ નહેરૂ સાથે ઘણો સમય વિતાવ્યો છે. મારી માતા અને જવાહરલાલ નહેરૂ વચ્ચે ગાઢ આકર્ષણ હતું. બે શરીર એક આત્માની જેમ.